Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PM Modi in Kevadia: કોંગ્રેસના કારણે કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાનના કબ્જામાં ગયો, એકતા પરેડ બાદ PMનું સંબોધન

PM Modi in Kevadia: PM નરેન્દ્ર મોદીએ આજે (31 ઓક્ટોબર, 2025) સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા નગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું આયોજન કર્યા બાદ દેશને સંબોધિત કર્યો હતો. તેમણે આ અવસરે કોંગ્રેસની ભૂતકાળની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા.

PM Modi in Kevadia

PM મોદીએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસને અંગ્રેજો પાસેથી 'ગુલામીની માનસિકતા' વારસામાં મળી છે, જેના કારણે દેશની એકતા અને અખંડિતતાને નુકસાન થયું.

કાશ્મીર મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર

PMએ સ્પષ્ટપણે જણાવ્યું કે, કાશ્મીરનો મુદ્દો દાયકાઓ સુધી સળગતો રહ્યો, તેના માટે કોંગ્રેસની નીતિઓ જવાબદાર હતી.

PM મોદીએ કહ્યું: "સરદાર પટેલ કાશ્મીરને ભારત સાથે જોડવા માગતા હતા, પરંતુ તે સમયના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ તેમ થવા દીધું નહીં. કોંગ્રેસે કાશ્મીરમાં જે ભૂલ કરી, તેની આગ દાયકાઓ સુધી ભભૂકી રહી છે. કોંગ્રેસની નબળી નીતિઓના કારણે કાશ્મીરનો એક હિસ્સો પાકિસ્તાનમાં જતો રહ્યો, અને પાકિસ્તાને ત્યાંથી આતંકવાદને હવા આપી. પરંતુ કોંગ્રેસ હંમેશા આતંકવાદની આગળ નતમસ્તક રહ્યું છે."

ઘુસણખોરી અને વોટ બેન્ક રાજનીતિનો મુદ્દો

PM મોદીએ દેશની સુરક્ષા સામેના પડકારો પર પણ વાત કરી. તેમણે કહ્યું કે દેશની એકતા અને આંતરિક સુરક્ષા ઘુસણખોરોના કારણે જોખમમાં છે, જેના કારણે જનવસ્તીનું સંતુલન ખોરવાયું છે અને સંસાધનોનો વ્યય થઈ રહ્યો છે.

  • આક્ષેપ: તેમણે કહ્યું કે દુર્ભાગ્યવશ, પાછલી સરકારોએ 'વોટ બેન્કની રાજનીતિ' માટે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકીને આ ગંભીર સમસ્યાને અવગણી હતી.
  • દ્રઢ સંકલ્પ: PMએ દાવો કર્યો કે પ્રથમ વખત દેશે આ પડકારનો સીધો સામનો કરીને અખંડિતતાની રક્ષા માટે દ્રઢ અને નિર્ણાયક વલણ અપનાવ્યું છે.

નક્સલવાદ અને આતંકવાદ મુક્ત ભારતનું લક્ષ્ય

PMએ દેશને નક્સલવાદ અને માઓવાદથી મુક્ત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

"આ લોખંડી પુરુષ સરદારનો દેશ છે. 2014 પહેલાં દેશના આશરે 125 જિલ્લા માઓવાદી આતંકવાદની ઝપેટમાં હતા. આજે આ સંખ્યા ઘટીને માત્ર 11 થઈ છે. હું દેશને વિશ્વાસ આપુ છું કે, જ્યાં સુધી દેશ નક્સલવાદ, માઓવાદ અને આતંકવાદથી સંપૂર્ણપણે મુક્ત નહીં થાય, ત્યાં સુધી અમે અટકીશું નહીં."

આ સંબોધનની સાથે જ PM મોદીએ જાહેરાત કરી કે એકતા નગરમાં 1 થી 15 નવેમ્બર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં ભારત પર્વ 2025નું આયોજન કરવામાં આવશે, જેમાં દેશના સમૃદ્ધ વારસા અને વિવિધતામાં એકતાની ભાવનાને પ્રદર્શિત કરવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X