PM Modi Gujarat Visit : PM મોદી 27 જુલાઇએ ગુજરાત આવશે, સૌરાષ્ટ્રને આપશે ઘણી ભેટ
PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 જુલાઇના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ઘણા વિકાસના પ્રકલ્પોની ભેટ આપશે. આ સાથે સાથે સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌની યોજના સાથે જોડાયેલી એક મોટી ભેટ આપશે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, ગુજરાત સરકારે SAUNI એટલે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના હેઠળ લિંક-3 ના પેકેજ 8 અને પેકેજ 9 નું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું છે. 27 જુલાઈના રોજ વડાપ્રધાન મોદી આ પ્રોજેક્ટ સૌરાષ્ટ્રની જનતાને સમર્પિત કરશે.

SAUNI પ્રોજેક્ટ હેઠળ તાજેતરમાં પૂર્ણ થયેલા પેકેજ 8 અને 9 લિંક 3 સાથે, નર્મદાનું પાણી હવે સૌરાષ્ટ્રના 95 ગામોની 52,398 એકર જમીનને સિંચાઈ માટે અને લગભગ 98 હજાર લોકોને પીવા માટે ઉપલબ્ધ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે SAUNI પ્રોજેક્ટ હેઠળ લીંક-3ના પેકેજ 8 હેઠળ 265 કરોડ ખર્ચીને ભાદર-1 અને વેરી ડેમ સુધી 32.56 કિમી વ્યાસની 2500 મીમી લંબાઈની એમએસ પાઇપલાઇનની ફીડર એક્સ્ટેંશન લાઇન નાખવામાં આવી છે. આનાથી 57 ગામોના 75,000 થી વધુ લોકોને પીવાનું પાણી અને 42,380 એકરથી વધુ જમીનની સિંચાઈ માટે નર્મદાનું પાણી મળી શકશે.
આ જ ક્રમમાં જો આપણે લિંક 3 ના પેકેજ 9 વિશે વાત કરીએ, તો 129 કરોડ ખર્ચીને આજી-1 ડેમ અને ફોફલ-1 ડેમ સુધી 36.50 કિમી વ્યાસની 2500 મીમી લંબાઈની એમએસ પાઇપલાઇનની ફીડર એક્સ્ટેંશન લાઇન નાખવામાં આવી છે. જેના કારણે 38 ગામોની 10018 એકરથી વધુ જમીનને સિંચાઈ માટે અને 23 હજારથી વધુ લોકોને પીવાનું પાણી નર્મદાનું પાણી મળી શકશે.
સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌની યોજનાના મહત્વ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સૌની એ વડાપ્રધાનનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે આ પ્રોજેક્ટની કલ્પના કરી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત છેલ્લા 7 વર્ષમાં 1203 કિલોમીટરની પાઈપલાઈન નાખવામાં આવી છે.
આ સાથે 95 જળાશયો, 146 ગામના તળાવો અને 927 ચેકડેમોમાં કુલ 71206 મિલિયન ઘનફૂટ પાણી ઉપલબ્ધ થયું છે, જેનાથી આશરે 6.50 લાખ એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધામાં સુધારો થયો છે. જેના કારણે અંદાજે 80 લાખની વસ્તીને પીવા માટે માતા નર્મદાનું પાણી મળવા લાગ્યું છે.
સૌની યોજના શું છે? - સૌની એટલે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના એ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને જીવનદાયી પ્રોજેક્ટ છે. આ અંતર્ગત નર્મદા નદીમાં આવતા વધારાના 10 લાખ એકર ફીટ (43,500 મિલિયન ક્યુબિક ફીટ) પાણીને સૌરાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત 11 જિલ્લાઓમાં 115 હાલના જળાશયોમાં ભરવાનું આયોજન છે.
આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં 970 થી વધુ ગામોને 8,24,872 એકર જમીનની સિંચાઈ અને 82 લાખ લોકોને પીવાના પાણી માટે નર્મદાના પાણીની સુવિધા મળશે. ઉલ્લેખનીય છે કે રૂપિયા 18,563 કરોડના ખર્ચે બનેલી સૌની યોજના પ્રોજેક્ટનું 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકીના કામ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે.
-
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
