PM Modi Guajarat Visit: વડાપ્રધાન મોદી આજે બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવશે, જાણો કાર્યક્રમ
PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે, જે દરમિયાન તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા અને ઘણા વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના છે. 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જન્મજયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ગુજરાત સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુ નગર પાસે એક જાહેર સભામાં લોકોને સંબોધિત કરશે, અને અનેક વિકાસ યોજનાઓનું લોકાર્પણ કરશે.

સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના સૂત્રોએ દાવો કર્યો હતો કે, ખેરાલુમાં લગભગ એક લાખ લોકો મેગા રેલીમાં ભાગ લેશે. ભાજપે એક રિલીઝમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામમાં રૂપિયા 4,778 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
31 ઓક્ટોબરના રોજ, વડાપ્રધાન ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે નર્મદા જિલ્લામાં હશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
