દરિયાના ખારાં પાણીને મીઠાં કરવાનું કામ શરૂ- વિજય રૂપાણી
દરિયાના ખારાં પાણીને મીઠાં કરવાનું કામ શરૂ- વિજય રૂપાણી
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ અને જામનગરમાં આજે વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. બે દિવસના પ્રવાસ દરમિયાન પીએમ મોદી ગાંધીનગર, અમદાવાદ અને જામનગરની મુલાકાત લેશે. પીએમ મોદી જામનગરથી પોતાના ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે. જામનગરમાં તેઓ 750 બેડ વાળા હોસ્પિટલ ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે અને પીજી હોસ્ટેલનું ઉદ્ઘાટન પણ કરશે. ઉપરાંત જામનગરમાં તેઓ સૌની યોજનાનું પણ ઉદ્ઘાટન કરશે. ઉપરાંત તેઓ જામનગરથી બાન્દ્રા-જામનગર હમસફર એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. બાદમાં પીએમ મોદી અમદાવાદના મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું વસ્ત્રાલથી ઉદ્ઘાટન કરશે. મેટ્રોનો વસ્ત્રાલવાળો રૂટ પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાશે. બાદમાં નવી સિવિલ હોસ્પિટલનું પીએમ મોદી ઉદ્ઘાટન કરશે. પોતાના પ્રવાસના બીજા દિવસે પીએણ મોદી અડાલજમાં અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટની મુલાકાત લેશે. ઉપરાંત ગાંધીનગરમાં શિક્ષણ ભવન અને વિદ્યાભારતી ભવનનો પાયો માંડશે. લાઈવ અપડેટ માટે ફોલો કરતા રહો વન ઈન્ડિયા ગુજરાતી...
In Ahmedabad, will inaugurate the New Civil Hospital. Shall also dedicate to the nation, a Women Children & Super Specialty Hospital, Cancer Hospital, Eye Hospital and Dental Hospital. This health infrastructure will greatly help people get affordable & quality healthcare. pic.twitter.com/btf2cRXiuQ
— Narendra Modi (@narendramodi) March 3, 2019