Narendra Modi Emotional post: માના નિધન પર ભાવુક થયા પીએમ મોદી, કહ્યુ - શાનદાર સદીનો પ્રભુના ચરણોમાં વિરામ
પીએમ નરેન્દ્ર મોદીએ માતાના નિધન પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે.
Narendra Modi Emotional post: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની માતા હીરાબેન મોદીના નિધન પર ભાવુક પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી છે. તેમણે પોસ્ટ કરીને પોતાની મા સાથે અંતિમ મુલાકાતને યાદ કરી. પીએમ મોદીએ પોતાની માની એક તસવીર શેર કરી છે જેમાં તેમણે હાથમાં દીવાની થાળી હાથમાં લીધી છે. આ ફોટો શેર કરીને પીએમ મોદીએ ટ્વિટ કર્યુ.

પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ, 'ગૌરવપૂર્ણ સદીનુ ભગવાનના ચરણોમાં વિરામ. મામાં મે હંમેશા એક ત્રિમૂર્તિ અનુભવી છે જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.' આ સાથે પીએમ મોદીએ અન્ય એક ટ્વિટમાં તેમની માતાના મૂલ્યવાન શિક્ષણને યાદ કર્યુ. તેમણે હૉસ્પિટલમાં તેમની માતા સાથેની છેલ્લી મુલાકાતને પણ યાદ કરી. PMએ લખ્યું, જ્યારે હું તેમને તેમના 100માં જન્મદિવસ પર મળ્યો હતો ત્યારે તેમણે એક વાત કહી હતી જે હંમેશા યાદ રહે છે કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી.
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીનુ આજે સવારે 3.30 કલાકે નિધન થયુ છે. હીરાબેન મોદીને ગુજરાતના અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હીરાબેનની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં પીએમ મોદી પોતે તેમને મળવા ગયા હતા. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
હીરાબાને મંગળવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, તેમને કફની ફરિયાદ પણ થઈ રહી હતી, ત્યારબાદ તેમને યુએન મહેતા હોસ્પિટલના કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનુ સીટી સ્કેન અહીં કરવામાં આવ્યું હતું. જે બાદ ગુરુવારે હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું હતું કે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ આજે સવારે અચાનક તેમનું નિધન થઈ ગયુ.
ઉલ્લેખનીય છે કે હીરાબેન મોદીને મંગળવારે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ પીએમ શુક્રવારે સાંજે 4 વાગે માતાને મળવા હોસ્પિટલ ગયા હતા. તેઓ લગભગ દોઢ કલાક સુધી અહીં રોકાયા હતા. ડૉકટરો પાસેથી તેની માતાની સ્થિતિ જાણવા અને તે પછી તે દિલ્લી જવા રવાના થયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ વર્ષે જૂનમાં પીએમ મોદી તેમની માતાનો 100મો જન્મદિવસ ઉજવવા અમદાવાદ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે માતાના આશીર્વાદ લીધા, તેમના પગ ધોયા અને શાલ ભેટમાં આપી હતી.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન







Click it and Unblock the Notifications
