PM મોદી આજે 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત' કાર્યક્રમને કરશે સંબોધિત
Today in Politics: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 10 ફેબ્રુઆરીએ બપોરે 1 વાગ્યે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા 'વિકસિત ભારત વિકસિત ગુજરાત' કાર્યક્રમને સંબોધિત કરશે.
આ કાર્યક્રમ દરમિયાન, PM મોદી સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અને અન્ય આવાસ યોજનાઓ હેઠળ બાંધવામાં આવેલા 1.3 લાખથી વધુ મકાનોનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે.

PM મોદીનો આ કાર્યક્રમ ગુજરાતના તમામ જિલ્લાઓમાં 180થી વધુ સ્થળોએ યોજાશે, જેમાં મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લામાં યોજાશે. રાજ્યવ્યાપી કાર્યક્રમમાં આવાસ યોજના સહિત વિવિધ સરકારી યોજનાઓના હજારો લાભાર્થીઓની ભાગીદારી જોવા મળશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાત સરકારના અન્ય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક કક્ષાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે.
સંસદના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ બંને ગૃહોના તેના તમામ સાંસદોને સંસદમાં હાજર રહેવા વ્હિપ જાહેર કર્યો છે. ભાજપે તેના તમામ રાજ્યસભા અને લોકસભા સાંસદોને આજે ગૃહમાં હાજર રહેવા જણાવ્યું છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે બજેટ સત્રના અંતિમ દિવસે સંસદમાં કંઈક મોટું થવાનું છે. રિપોર્ટ અનુસાર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર રામ મંદિર પર બંને ગૃહોમાં ચર્ચા કરી શકે છે. સંભવ છે કે આજે લોકસભા અને રાજ્યસભામાં રામ મંદિર પર ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે.
તેલંગાણામાં ભાજપ અધ્યક્ષ બંડી સંજય કુમાર આજથી પદયાત્રા શરૂ કરશે. સાંસદ બંડી સંજયને પણ આ પદયાત્રા માટે હાઈકોર્ટમાંથી મંજૂરી મળી ગઈ છે.
પાકિસ્તાનમાં હજુ પણ સંસદીય અને પ્રાંતીય ચૂંટણી માટે મતદાન ચાલુ છે. પાકિસ્તાનમાં જેલની અંદરથી ચૂંટણીની કમાન સંભાળી રહેલી ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)એ બધાને ચોંકાવી દીધા છે. પીટીઆઈ સમર્થિત ઉમેદવારો આગળ છે. પરંતુ મતગણતરી વચ્ચે નવાઝ શરીફ અને ઈમરાન ખાનની પાર્ટી બંનેએ સરકાર બનાવવાનો દાવો કર્યો છે.












Click it and Unblock the Notifications
