પીએમ મોદી સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાતના ૨૦ વર્ષની ઉજવણી કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૭ સપ્ટેમ્બરે અમદાવાદના સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ૨૦ વર્ષની ઉજવણી નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વડાપ્રધાન સાયન્સ સિટી ખાતે સમિટ ઓફ સક્સેસ પેવેલિયનનું ઉદ્ઘાટન પણ કરશે.
આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ના રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, નવસારીના સાંસદ સી.આર. પાટીલ, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન અને મુખ્ય સચિવ રાજકુમાર ઉપસ્થિત રહેશે.

૨૦ વર્ષ પહેલા ૨૮મી સપ્ટેમ્બર ૨૦૦૩ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પ્રથમવાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરાવી હતી.
આજે વાયબ્રન્ટ ગુજરાત સમિટ ભારત અને વિશ્વમાં પણ સૌથી પ્રમુખ બિઝનેસ સમિટ તરીકે જાણીતી બની છે. આટલા વર્ષોથી વિશ્વભરના રાજ્યોના વડાઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ, થોટ લીડર્સ, શિક્ષણવિદો અને પ્રતિનિધિઓની હાજરી આ સમિટમાં જોવા મળી છે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, જે દેશના અન્ય રાજ્યો માટે પણ રોલ મોડલ રહી છે, તેણે છેલ્લા બે દાયકાઓમાં રાજ્ય માટે જે પ્રકારની વિકાસ અને વૃદ્ધિ હાંસલ કરી છે તે જોતાં, આ સમિટ આજની તારીખમાં પણ અજોડ અને અદ્વિતીય છે. ૨૦૦૩માં નાના પાયે શરૂ થયેલી આ સમિટમાં, વર્ષ ૨૦૧૯માં ૧૩૫થી વધુ રાષ્ટ્રોના ૪૨ હજારથી વધુ પ્રતિનિધિઓની જબરદસ્ત ભાગીદારી જોવા મળી હતી.
આજે આ સમિટ સર્વસમાવેશક આર્થિક-સામાજિક વિકાસ માટે બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને વ્યૂહાત્મક ભાગીદારી માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચ તરીકે વિકસિત થઈ છે. સક્રિય નીતિ સંચાલિત અભિગમ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ એટલે કે વેપાર માટેની સરળતા, વેપાર-ધંધા માટે અનુકૂળ વાતાવરણ અને મજબૂત ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓના કારણે ગુજરાત છેલ્લા બે દાયકાઓથી રોકાણ માટે સૌથી વધુ પસંદગીનું સ્થળ છે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ૨૦ વર્ષોની ઉજવણી કરતા આ કાર્યક્રમમાં રાજદ્વારીઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સંગઠનો, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ આપતી કોલેજોના વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકો સહભાગી થશે.
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનનું વિઝન અને વાયબ્રન્ટ ગુજરાતના ૨૦ વર્ષોને ઉજાગર કરતી એક ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ એનામોર્ફિક સ્ક્રીન પર દર્શાવવામાં આવશે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
