PM નરેન્દ્ર મોદી વતન ગુજરાતમાં વધારે સુરક્ષિત મહેસૂસ કરે છે?
અમદાવાદ, 17 સપ્ટેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પસાર થતા હોય અને કોઇને તેની જાણ થયા વિના ના રહે તે માનવામાં આવતું નથી. પરંતુ હકીકત એ જ છે કે આજે સવારે પોતાના જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના માતા હીરાબાના આશીર્વાદ લેવા ગાંધીનગર ખાતેના તેમના નિવાસ સ્થાન પહોંચ્યા હતા ત્યારે સિક્યુરીટીનો મોટો કાફલો સાથે લઇ જવાને બદલે માત્ર બે SUVમાં તેઓ પહોંચ્યા હતા.
આ દ્રશ્યને આંખે જોનારા ઘણાને આ બાબતનું આશ્ચર્ય તો ચોક્કસ થયું છે. કારણ કે તાજેતરના સમયમાં વડાપ્રધાન બન્યા બાદ કુખ્યાત આતંકવાદી જૂથના નિશાના પર મોદી રહે છે. પરંતુ જાણે પોતાના માદરે વતન ગુજરાતમાં આવીને તેમને વધુ સુરક્ષા અનુભવાતી હોય તેમ અત્યંત ઓછા સિક્યુરિટી સ્ટાફ સાથે તેઓ માતાને મળવા પહોંચી ગયા હતા.

બીજી મહત્વની બાબત એ છે કે તેઓ ઘરમાં અંદર જઇને મળવાને બદલે ઘરની ખુલ્લી ઓસરીમાં જઇને પોતાના માતા હીરાબાને મળી, તેમને પગે લાગીને આશીર્વાદ મેળવ્યા હતા.
નરેન્દ્ર મોદીએ માતાના આશીર્વાદ લેવા સહિતના તમામ પ્રક્રિયા લગભગ અડધો કલાક સુધીમાં પૂરી કરી હતી. ત્યાં સુધી તેઓ ખુલ્લામાં જ રહ્યા હતા. તેમની સાથે તેમના સુરક્ષા જવાનો તો ઓછા જ હતા પરંતુ ગુજરાત પોલીસના પણ મર્યાદિત જવાનો હતા. આ કારણે એમ કહી શકાય કે પોતાના વતનમાં આવીને મોદી સુરક્ષિત હોવાનો ભાવ અનુભવે છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
