ભરુચમાં પીએમ મોદીએ જવાહરલાલ નહેરુ પર સાધ્યુ નિશાન, કહ્યુ - 'એક વ્યક્તિના કારણે ન ઉકેલાયો કાશ્મીરનો મુદ્દો'
પ્રધાનમંત્રી મોદીએ ભરુચમાં એક સભાને સંબોધિત કરી જ્યાં તેમણે જવાહરલાલ નહેરુ પર નિશાન સાધ્યુ.
ભરુચઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે છે. પોતાના પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ ભરુચ અને જામમગરમાં ઘણા પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યુ. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ ભરુચમાં એક સભાને સંબોધિત કરી જ્યાં તેમણે જવાહરલાલ નહેરુ પર નિશાન સાધ્યુ. પ્રધાનમંત્રીએ આ દરમિયાન નહેરુનુ નામ લીધા વિના કહ્યુ કે સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી બાદ અન્ય રજવાડાઓના વિલયના મુદ્દાઓને ઉકેલી દીધા પરંતુ કાશ્મીરનો મુદ્દો 'એક વ્યક્તિ'ના કારણે ઉકેલાઈ શકાયો નહિ અને તે વણઉકેલાયેલો રહી ગયો.

'એક અન્ય વ્યક્તિએ કાશ્મીરના આ મુદ્દાને ઉકેલવાની જવાબદારી...'
PM મોદીએ પોતાના ભાષણમાં કહ્યુ કે, 'સરદાર પટેલ સાહેબ બધા રજવાડાઓને ભારતમાં વિલય કરાવવામાં સફળ રહ્યા હતા પરંતુ એક અન્ય વ્યક્તિએ કાશ્મીરના આ મુદ્દાને ઉકેલવાની બધી જવાબદારી સંભાળી હતી જે સફળ થઈ શકી નહિ.' પીએમ મોદીએ આગળ કહ્યુ કે અમે કાશ્મીરના મુદ્દાને એ રીતે જ ઉકેલવાનો પ્રયત્ન કર્યો હતો જે કોશિશથી સરદાર વલ્લભભાઈ પટેલે અન્ય રજવાડાઓનો વિલય હિંદુસ્તાનમાં કરાવ્યો હતો. પીએમે કહ્યુ કે અમે સરદાર પટેલના જ પગલે ચાલીએ છીએ.
|
જામનગરમાં પીએમ મોદીએ બતાવ્યો જલવો
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી થવાની છે. ભરુચની સભા બાદ પીએમ મોદી જામનગર ગયા જ્યાં રસ્તામાં તેમના સમર્થકોને જોઈને તેમણે પોતાના કાફલો રોકી દીધો અને રસ્તા પર જોઈને લોકો સાથે મુલાકાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ એક વ્યક્તિને ઑટોગ્રાફ પણ આપ્યો. વાસ્તવમાં પીએમ મોદીને એ વ્યક્તિએ આ દરમિયાન એક ફોટો પણ ભેટમાં આપ્યો જેમાં પીએમ મોદીની મા પણ છે.

જામનગર અને ભરુચને મળી આ ભેટ
જામનગર પહોંચીને પીએમ મોદી લગભગ 1450 કરોડ રૂપિયાની સિંચાઈ, વિજળી, જળાપૂર્તિ અને શહેરી ઢાંડા સાથે જોડાયેલી પરિયોજનાઓનુ લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. આ પહેલા પ્રધાનમંત્રીએ ભરુચમાં પહેલા બલ્ક ડ્રગ પાર્ક જનતાને સમર્પિત કર્યો. પીએમ મોદીએ આ દરમિયાન કેમિકલ સેક્ટર સાથે જોડાયેલા અનેક પ્લાન્ટનુ પણ લોકાર્પણ કર્યુ.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
