ભરુચમાં પીએમ મોદીએ જવાહરલાલ નહેરુ પર સાધ્યુ નિશાન, કહ્યુ - 'એક વ્યક્તિના કારણે ન ઉકેલાયો કાશ્મીરનો મુદ્દો'
પ્રધાનમંત્રી મોદીએ ભરુચમાં એક સભાને સંબોધિત કરી જ્યાં તેમણે જવાહરલાલ નહેરુ પર નિશાન સાધ્યુ.
ભરુચઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે છે. પોતાના પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ ભરુચ અને જામમગરમાં ઘણા પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યુ. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ ભરુચમાં એક સભાને સંબોધિત કરી જ્યાં તેમણે જવાહરલાલ નહેરુ પર નિશાન સાધ્યુ. પ્રધાનમંત્રીએ આ દરમિયાન નહેરુનુ નામ લીધા વિના કહ્યુ કે સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી બાદ અન્ય રજવાડાઓના વિલયના મુદ્દાઓને ઉકેલી દીધા પરંતુ કાશ્મીરનો મુદ્દો 'એક વ્યક્તિ'ના કારણે ઉકેલાઈ શકાયો નહિ અને તે વણઉકેલાયેલો રહી ગયો.

'એક અન્ય વ્યક્તિએ કાશ્મીરના આ મુદ્દાને ઉકેલવાની જવાબદારી...'
PM મોદીએ પોતાના ભાષણમાં કહ્યુ કે, 'સરદાર પટેલ સાહેબ બધા રજવાડાઓને ભારતમાં વિલય કરાવવામાં સફળ રહ્યા હતા પરંતુ એક અન્ય વ્યક્તિએ કાશ્મીરના આ મુદ્દાને ઉકેલવાની બધી જવાબદારી સંભાળી હતી જે સફળ થઈ શકી નહિ.' પીએમ મોદીએ આગળ કહ્યુ કે અમે કાશ્મીરના મુદ્દાને એ રીતે જ ઉકેલવાનો પ્રયત્ન કર્યો હતો જે કોશિશથી સરદાર વલ્લભભાઈ પટેલે અન્ય રજવાડાઓનો વિલય હિંદુસ્તાનમાં કરાવ્યો હતો. પીએમે કહ્યુ કે અમે સરદાર પટેલના જ પગલે ચાલીએ છીએ.
|
જામનગરમાં પીએમ મોદીએ બતાવ્યો જલવો
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી થવાની છે. ભરુચની સભા બાદ પીએમ મોદી જામનગર ગયા જ્યાં રસ્તામાં તેમના સમર્થકોને જોઈને તેમણે પોતાના કાફલો રોકી દીધો અને રસ્તા પર જોઈને લોકો સાથે મુલાકાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ એક વ્યક્તિને ઑટોગ્રાફ પણ આપ્યો. વાસ્તવમાં પીએમ મોદીને એ વ્યક્તિએ આ દરમિયાન એક ફોટો પણ ભેટમાં આપ્યો જેમાં પીએમ મોદીની મા પણ છે.

જામનગર અને ભરુચને મળી આ ભેટ
જામનગર પહોંચીને પીએમ મોદી લગભગ 1450 કરોડ રૂપિયાની સિંચાઈ, વિજળી, જળાપૂર્તિ અને શહેરી ઢાંડા સાથે જોડાયેલી પરિયોજનાઓનુ લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. આ પહેલા પ્રધાનમંત્રીએ ભરુચમાં પહેલા બલ્ક ડ્રગ પાર્ક જનતાને સમર્પિત કર્યો. પીએમ મોદીએ આ દરમિયાન કેમિકલ સેક્ટર સાથે જોડાયેલા અનેક પ્લાન્ટનુ પણ લોકાર્પણ કર્યુ.












Click it and Unblock the Notifications
