PM મોદીના ભાઇનો આરોપ, આધારના કારણે લોકોને નથી મળતું રેશન
નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહ્લાદ મોદીએ આધાર કાર્ડના કારણે લોકો રેશનથી વંચિત રહી જાય છે તેવી ફરિયાદ કરતા રૂપાણી સરકાર વિરુદ્ધ આ ચિમકી ઉચ્ચારી છે. જાણો આ સમાચાર વિગતવાર અહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં એક તરફ ગરીબોની સરકાર હોવાનો દાવો કરી રહી છે અને સરકારી યોજનાઓ અને લાભાને આધાર કાર્ડ સાથે જોડવાની વાત કરે છે ત્યાં જ પીએમ મોદીના ભાઇ અને ગુજરાતના ફેર પ્રાઇઝ શોપ ઓનર્સ એસોસિયેશનના અધ્યક્ષ પ્રહ્લાદ મોદીએ રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની વાતનો વિરોધ કર્યો છે. ગુરુવારે પ્રહ્લાદ મોદીએ કહ્યું કે અનેક લોકોને ફેયર પ્રાઇઝ શોપ પર લાગેલા સોફ્ટવેરની ટેકનીકલ ખરાબીના કારણે મહિનાનું રેશન નથી મળ્યું. આ મામલે તેમણે રાજ્ય સરકારને પણ આડે હાથે લીધી હતી. મોદીનું કહેવું છે કે રેશન ડિલરોને આનાથી તકલીફ પડી રહી છે. સાથે જ લોકો પણ રેશન ના મળતા ખાલી હાથે પાછા ફરે છે. તેમણે ગુજરાત સરકારને આ મુશ્કેલીનો ઉકેલ નીકાળવાની માંગણી કરી છે. અને સાથે જ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો જલ્દી આ અંગે કોઇ પગલાં નહીં લેવામાં આવે તો દુકાનોને બંધ કરી વિરોધ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે રાજ્ય સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ 17,000 રિયાયતી દુકાનો પર લાભાર્થી સબસિડી વાળું અનાજ મેળવી શકે તે માટે એપ્રિલ 2016માં અન્નપૂર્ણા યોજના શરૂ કરી હતી.

આવી દુકાનોમાં ઇ એફપીએફ સોફ્ટવેરના માધ્યમથી કેન્દ્રીય ડેટાબેઝ સાથે જોડવામાં આવી છે. આ પ્રણાલી હેઠળ ગ્રાહકને રેશનના લાભ આપવા માટે આધાર કાર્ડનું વિવરણ અને અંગૂઠાનું નિશાન હોવું જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઇ પ્રહ્લાદ મોદીએ કહ્યું કે આ સોફ્ટવેરની અનેક દુકાનોમાં ઠીક રીતે કામ નથી કરતું. જેના કારણે અનેક લાભાર્થીઓને ખાલી હાથે પાછા જવું પડે છે. મોદીએ કહ્યું કે રાજ્યમાં અનેક દુકાનો સોફ્ટવેરની આ મુશ્કેલીથી પસાર થાય છે. જેમાં ગ્રાહકો અંગૂઠાની છાપ અને આધાર કાર્ડ રીડ નથી કરતા. સાથે જ તેમણે કહ્યું કે આ સોફ્ટવેર સાથે અનેક સમસ્યા છે. ક્યારેક ફિંગરપ્રિન્ટ નથી રડી થતી તો ક્યારેક આધાર કાર્ડની ડિટેલ નથી દેખાતી. તો કેટલીક વાર સોફ્ટવેર એટલું ધીમું ચાલે છે કે પુછો ના વાત. તો ક્યારેક લોગિનની સમસ્યા પણ થાય છે. ત્યારે પ્રહ્લાદ મોદીએ માંગ કરી છે કે સરકાર જલ્દી જ આ મામલે કોઇ નિરાકરણ લાવે. સાથે જ સરકારે આ મામલે અન્ય કોઇ વિકલ્પ પણ આપવો જોઇએ જેથી કરીને ગ્રાહકને રેશન વગર ખાલી હાથે ના જવું પડે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
