ગુજરાતમાં ગરીબો અને ખેડૂતોની ઉપેક્ષા કરાઈ, પરિવર્તન માટે 5 વર્ષ તક આપો - રાઘવ ચઢ્ઢા
પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ હવે આમ આદમી પાર્ટી સતત વિપક્ષો પર આરોપ લગાવી રહી છે. હાલમાં જ આમ આદમી પાર્ટીના સાંસદ અને ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ વિપક્ષ પર પ્રહારો કર્યા છે.
ચંદીગઢ : પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ હવે આમ આદમી પાર્ટી સતત વિપક્ષો પર આરોપ લગાવી રહી છે. હાલમાં જ આમ આદમી પાર્ટીના સાંસદ અને ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ વિપક્ષ પર પ્રહારો કર્યા છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે પંજાબમાં 50 વર્ષ સુધી માત્ર બે પક્ષોનું શાસન હતું, આ પક્ષો કોંગ્રેસ અને અકાલી દળ છે. પંજાબની જનતાએ આ બંને પક્ષોને ઉખાડીને આમ આદમી પાર્ટીની સરકાર બનાવી.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારથી ત્યાં 35 વર્ષ કોંગ્રેસની સરકાર અને 27 વર્ષથી ભાજપની સરકાર છે. ભાજપ-કોંગ્રેસના શાસનમાં નેતાઓના પુત્ર-પુત્રીઓ અને તેમના પરિવારો મોટા માણસ બન્યા છે, તેમની પાસે મોટા વાહનો અને હવેલીઓ છે અને તેમને મોટા ધંધા-રોજગારો મળ્યા છે, પરંતુ સામાન્ય લોકો, ગરીબ લોકો અને ખેડૂતોની ઉપેક્ષા કરવામાં આવી છે. આ સરકારોએ કંઈ આપ્યું નથી. ગુજરાતની જનતાએ કોંગ્રેસને 35 વર્ષ અને ભાજપને 27 વર્ષ આપ્યા છે, તેથી હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીને માત્ર 5 વર્ષ માટે તક આપો.
અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબને આગળ કરીને મોટા વાયદા કરી રહી છે. આમ આદમી પાર્ટી જીતનો દાવો કરી રહી છે અને ગુજરાતમાં જનતાને પરિવર્તન માટે જોડાવા અપીલ કરી રહી છે.