પોરબંદર-સિકંદરાબાદ ટ્રેન 28 ઓક્ટોબરથી પોતાના પૂર્વ નિર્ધારિત ટર્મિનલ સ્ટેશન સિકંદરાબાદ સુધી જશે

Indian Railways: દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ સ્ટેશન પર ચાલી રહેલા સ્ટેશન પુનર્વિકાસ કાર્યને કારણે પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન (20968/20967) ના ટર્મિનલ સ્ટેશનને રેલવે પ્રશાસન દ્વારા અસ્થાયી રૂપે બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ ટ્રેનને પૂર્વ નિર્ધારિત ટર્મિનલ સ્ટેશન મુજબ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Indian Railways

Railway News: ભાવનગર રેલવે મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ માહિતી આપતા જણાવ્યું કે મુસાફરોની સુવિધા માટે અગાઉ જેવી જ ટ્રેનની સમયસર કામગીરી કરવામાં આવશે.

વિગતવાર સમયપત્રક આ મુજબ છે:

ટ્રેન નંબર 20968 (પોરબંદર-સિકંદરાબાદ સુપરફાસ્ટ સાપ્તાહિક): દર મંગળવારે પોરબંદરથી રાત્રે 01:15 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 08:00 કલાકે સિકંદરાબાદ સ્ટેશન પર પહોંચશે.

ટ્રેન નંબર 20967 (સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક): દર બુધવારે સિકંદરાબાદથી બપોરે 15:10 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે રાત્રે 21:50 કલાકે પોરબંદર સ્ટેશન પર પહોંચશે.

રેલવે વિભાગે મુસાફરોને અનુરોધ કર્યો છે કે તેઓ ટ્રેનના ઠેરાવો, કોચોની સંરચના અને અપડેટેડ સમયપત્રક માટે ભારતીય રેલ્વેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર માહિતી મેળવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X