ઉર્જા મંત્રી કનુ દેસાઈએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 પહેલા રિન્યુએબલ એનર્જી રોડમેપ લોંચ કર્યો
ગુજરાત સરકાર વાઈબ્રન્ટ માટે જોરસોરથી તૈયારીઓ કરી રહી છે. વાઈબ્રન્ટ પહેલા સરકારે રિન્યુએબલ એનર્જી રોડમેપ લોંચ કર્યો છે.
ઊર્જા મંત્રી કનુ દેસાઈએ આગામી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 પહેલા રિન્યુએબલ એનર્જી અને સોલાર રૂફટોપ સેક્ટરમાં ગુજરાતની ભૂમિકા વિશે વિગતે વાત કરી છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્ય ચોવીસ કલાક વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પહેલ કરવામાં મોખરે છે.
તેમણે PM મોદી દ્વારા શરૂ કરાયેલી જ્યોતિગ્રામ યોજનાની સફળતા પર ભાર મૂક્યો. આ યોજનાએ ગુજરાતના આદિવાસી જિલ્લા ડાંગ સહિત છેવાડાના વિસ્તારોમાં 24 કલાક વીજળી પહોંચાડી છે.
તેમણે કહ્યું કે, PM મોદીએ ગુજરાતમાં 24 કલાક વીજળી પૂરી પાડવા પહેલ કરી છે. જ્યોતિગ્રામ યોજના લાગુ થયા પછી 24 કલાક વીજળી પૂરી પાડનારું ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે.
પુનઃપ્રાપ્ય ઊર્જામાં રાજ્યની સિદ્ધિઓ અંગે ચર્ચા કરતાં તેમણે કહ્યું કે, ગુજરાતને પવન અને સૌર ઉર્જા બંનેનો લાભ મળે છે. આ બંનેમાં ગુજરાત શ્રેષ્ઠ છે. ગુજરાતમાં પવન ઉર્જા ક્ષમતા 11,000 મેગાવોટ છે અને સૌર ઉર્જા ક્ષમતા 10,000 મેગાવોટ છે. રિન્યુએબલ એનર્જી માટે ગુજરાત ભારતનું બીજું શ્રેષ્ઠ રાજ્ય છે.
અહીં તેમણે જાહેરાત કરતા કહ્યું કે, ગુજરાત 48,500 મેગાવોટની કુલ સ્થાપિત ક્ષમતા ધરાવે છે, જે તેને સમગ્ર દેશમાં સૌથી વધુ છે.
કાર્બન માટેની વૈશ્વિક પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરતા મંત્રી કનુ દેસાઈ 2070 સુધીમાં કાર્બન મુક્ત વિશ્વ માટે પીએમ મોદીના વિઝનનો ઉલ્લેખ કર્યો.
તેમણે કહ્યું કે, ગુજરાતે મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો નક્કી કર્યા છે, જેનું લક્ષ્ય 2030 સુધીમાં રિન્યુએબલમાંથી 1000 ગીગાવોટ વીજળીનું ઉત્પાદન કરવાનું છે, જે તે જ વર્ષ સુધીમાં 500 મેગાવોટના રાષ્ટ્રીય લક્ષ્યને અનુરૂપ છે.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 ને લઈને તેમણે ખુલાસો કર્યો કે આ ઇવેન્ટ રિન્યુએબલ એનર્જીની સાથે હાઇડ્રોજન ઉત્પાદન પર નોંધપાત્ર ધ્યાન કેન્દ્રિત કરશે.
તેમણે ધ્યાન દોર્યુ કે, સમિટ દરમિયાન અપેક્ષિત મોટા રોકાણો પુનઃપ્રાપ્ય ઉર્જા અને સેમિકન્ડક્ટર ક્ષેત્રો તરફ નિર્દેશિત કરવામાં આવશે, જે ટકાઉ અને અત્યાધુનિક તકનીકો પ્રત્યે ગુજરાતની પ્રતિબદ્ધતા દર્શાવે છે.












Click it and Unblock the Notifications
