અમદાવાદમાં પ્રિપ્લાન્ડ હિંસા? પોલીસ આ દિશામાં તપાસ કરશે
અમદાવાદમાં પ્રિપ્લાન્ડ હિંસા? પોલીસ આ દિશામાં તપાસ કરશે
સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં ગુરુવારે દેશભરમાં ઉગ્ર પ્રદર્શનો થયાં. દેશભરમાં સુઆયોજિત ઢબે વાતાવરણ બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. નાગરિકતા મુદ્દે ભ્રમ અને અફવાઓના પગલે દેશભરમાં આંદોલનો ઉગ્ર બની રહ્યાં છે, જ્યારે રાજકીય નેતાઓની જવાબદારી બને છે કે પ્રેસ કોન્ફ્રેન્સ કરીને નાગરિકોના ભ્રમ દૂર કરે અને ઉઠેલા સવાલોના જવાબ આપે. માત્ર સરકાર જ નહિ બલકે દેશ ભળકે બળી રહ્યો છે તે મુદ્દે વિપક્ષે પણ પોઝિટિવ ભૂમિકા ભજવવી જોઈએ અને આગમાં ઘી હોમવાનું કામ થતું હોય તો તે અટકાવવું જોઈએ.

અમદાવાદના શાહ-એ-આલમ વિસ્તારમાં રૂંઢા સુધી શાંતિથી આંદોલન થતું રહ્યું અને અચાનક જ પોલીસ પર હુમલો થઈ ગયો અને 19 જેટલા પોલીસ જવાનો સહિત કુલ 2 લોકો ઘાયલ થયા, અચાનક ભીડમાં મોઢે રૂમાલ બાંધીને આવેલા લોકો કોણ હતા? શું હુમલો કરનાર લોકો ખરેખર શાહ-એ-આલમ વિસ્તારના જ રહેવાસી હતા કે પછી સ્થિતિ બગા઼ડવા માટે ભીડનો લાભ ઉઠાવવા આવ્યા હતા? તે સવાલો પણ ઉઠે છે. આ મામલે અમદાવાદ પોલીસ કમિશઅનરે પણ કહ્યું કે, હુમલો પૂર્વનિયોજિત હોવા અંગે તપાસ કરી રહ્યા છીએ. જણાવી દઈએ કે જે વિસ્તારમાં પોલીસ પર હુમલો થયો તે શાહ-એ-આલમ વિસ્તારમાં બાંગ્લાદેશી મસ્લિમો વધુ સંખ્યામાં રહે છે.
જણાવી દઈએ કે નાગરિકતા સંશોધિત એક્ટના વિરોધમાં ગુજરાતના વિવિધ શહેરોમાં જુદા-જુદા સંગઠનો દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું. સુરત, વડોદરા, રાજકોટમાં બંધની નહીવત અસર જોવા મળી હતી. જણાવી દઈએ કે નાગરિકતા મુદ્દે દેશભરમાં હિંસા ભડકી ઉઠી છે. લખનઉમાં હિંસાને પગલે 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા જ્યારે મેંગ્લોરમાં પોલીસ ફાયરિંગમાં 6 લોકો ઘાયલ થયા હતા, ઈલાજ દરિયાન એકનું મોત થયું હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે.
આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર આર બી રાણાએ કહ્યું કે, પથ્થરમારામાં મારા સહિત ઓછામાં ઓછા પાંચ પોલીસકર્મી ઘાયલ થયા છે. કુલ આંકડો કેટલો છે તે તો મને ખબર નથી પણ હવે પરિસ્થિતિ કાબુમાં છે. વધુમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર આર બી રાણાએ કહ્યું કે અમે આરોપીઓને ઓળખી કાઢીને તેમની સામે એફઆઈઆર નોંધશું.
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, હિંસા ફેલાવનાર તત્વોની વીડિયો ફૂટેજ દ્વારા તપાસ કરવામાં આવશે અને હુમલો કરનારાઓમાં જે કોઈપણ લોકો સામે હશે તે લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે બીજા બધા રાજ્યોની જેમ ગુજરાતમાં પણ નાગરિકતા સંશોધન એક્ટ લાગૂ કરાશે. ત્યારે નાગરિકતા સંશોધન એક્ટ શું છે તે અંગે દેશવાસીઓને સંપૂર્ણપણે જાગૃત કરવાની સરકાર, મીડિયા હાઉસ અને સામાજિક સંસ્થાઓની જવાબદારી બને છે. હિંસાખોરોનો આંધળો વિશ્વાસ કરીને દેશનો માહોલ બગાડવા નિકળી જતા લોકોએ પણ મુદ્દો શું છે તે પહેલા સમજી લેવું જોઈએ.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
