Principal vacancy in gujarat : આચાર્યો વગરની ગુજરાતની શાળાઓ, આટલી શાળાઓમાં આચાર્ય ન હોવાનું સરકારે સ્વીકાર્યુ
Principal vacancy in gujarat : ગુજરાત રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં શિક્ષકોની મોટી ઘટ હોવાની વાત સમયે સમયે સામે આવતી રહી છે. પરંતુ હવે વિધાનસભામાં ઘણી શાળાઓમાં આચાર્ય જ ન હોવાનો ખુલાસો થયો છે.
ગુજરાતમાં કુલ 30,674 સરકારી, 558 ગ્રાન્ટેડ અને 10,879 ખાનગી પ્રાથમિક શાળાઓ આવેલી છે. ચૌકાવનારી વાત એ છે કે રાજ્યની 900 સરકારી શાળાઓમાં આચાર્યોની જગ્યાઓ ખાલી છે, જે શિક્ષણ વ્યવસ્થાની ગંભીર સમસ્યાને ઉજાગર કરી રહ્યું છે.

વિધાનસભાના સત્ર દરમિયાન ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે રાજ્યની 900 સરકારી શાળાઓમાં આચાર્યો જ નથી. અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ આચાર્યોની જગ્યા ખાલી છે.
શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું કે વર્ષ 2022-23માં 1,526 આચાર્યોની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ 2023-24માં 470 આચાર્યોની નિમણૂક કરવામાં આવી.
આમ છતાં હજુ પણ મોટી સંખ્યામાં શાળાઓ આચાર્યો વિના સંચાલિત થઈ રહી છે. તેમણે જણાવ્યુ કે, બાકી રહેલી ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાલ ચાલુ છે.
આચાર્યોની ખોટ રાજ્યની શિક્ષણ પ્રણાલીને ગંભીર અસર કરી શકે છે. યોગ્ય શિક્ષણ વ્યવસ્થાના અભાવમાં વિદ્યાર્થીઓ પર તેની નકારાત્મક અસર થાય છે.
ળાઓમાં શિસ્ત, શિક્ષણની ગુણવત્તા અને શૈક્ષણિક આયોજન માટે આચાર્યોની ભૂમિકા અત્યંત મહત્વની હોય છે. તેથી સરકાર દ્વારા આ ખોટને દુર કરવા માટે તાત્કાલિક પગલાં ભરવાની જરૂર છે.
ગુજરાતમાં શાળાઓમાં આચાર્યોની અછત એક ગંભીર શિક્ષણ સમસ્યા છે. સરકારી શાળાઓમાં આચાર્યોની ભરતી માટે સરકારની કામગીરી અંગે વધુ સ્પષ્ટતા જરૂરી છે.
-
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ? -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ -
અમેરિકાએ ભારતને આપી ભેટ! આટલા દિવસો સુધી રશિયા પાસેથી ખરીદી શકશે તેલ, Hormuzનું ટેન્શન ખતમ







Click it and Unblock the Notifications
