Rahul Gandhi Defamation case : માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની અરજીની આજે સુનાવણી, હાઈકોર્ટ સંભળાવશે ચુકાદો
Rahul Gandhi Defamation case : ગુજરાત હાઈકોર્ટ દ્વારા 7 જુલાઇના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મોદી અટક પરની તેમની ટીપ્પણીને લઈને ગુનાહિત માનહાનિના કેસમાં તેમની દોષિત ઠરાવવાની અરજી પર ચુકાદો સંભળાવવામાં આવશે.
હાઈકોર્ટ દ્વારા ગુરુવારના રોજ જાહેર કરવામાં આવેલી યાદી મુજબ જસ્ટિસ હેમંત પ્રાચાકની કોર્ટ સવારે 11 કલાકે ચુકાદો સંભળાવશે. જો રાહુલ ગાંધીને દોષિત ઠેરવવામાં ન આવે છે, તો તેમના માટે સંસદના સભ્ય તરીકે પુનઃસ્થાપિત કરવાનો માર્ગ મોકળો બનશે.

મે મહિનામાં ગાંધીની અરજીની સુનાવણી કરતા સમયે જસ્ટિસ પ્રાચકે, કોઈપણ વચગાળાની રાહત આપવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે, તેઓ ઉનાળાના વેકેશન પછી અંતિમ આદેશ પસાર કરશે.
29 એપ્રિલના રોજ સુનાવણી દરમિયાન, રાહુલ ગાંધીના વકીલે દલીલ કરી હતી કે, જો દોષિત ઠરાવવામાં આવશે, તો મારા અસીલને રાજકારણમાં લાંબા સમય સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. અહીં ચૂંટણી લડવા પર આઠ વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આનાથી તેમની સમગ્ર રાજકીય કારકિર્દી દાવ પર લાગી જશે. આ કોઈ ગંભીર ગુનો નથી, તેમને કોઈની હત્યા કરી નથી. મહેરબાની કરીને આ વાતની નોંધ લેવામાં આવે.
અત્રે નોંધનીય છે કે, સુરતની એક કોર્ટે 23 માર્ચના રોજ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષને 2019માં ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 (ગુનાહિત માનહાનિ) હેઠળ દોષિત ઠેરવ્યા બાદ બે વર્ષની જેલની સજા ફટકારી હતી.
આ ચુકાદા બાદ, કેરળના વાયનાડથી લોકસભામાં ચૂંટાયેલા ગાંધીને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓ હેઠળ સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધીએ આ આદેશને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો અને દોષિત ઠરાવવા પર સ્ટે માંગ્યો હતો. 20 એપ્રિલના રોજ કોર્ટે તેમને જામીન આપતા, સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ તેમણે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો.












Click it and Unblock the Notifications
