રાજકોટમાં રાહુલનું પ્રોત્સાહન : 2014ની ચૂંટણીઓ કરો યા મરોનો જંગ નથી
રાજકોટ, 4 ઓક્ટોબર : ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ અને કોંગ્રેસ કાર્યકરોના લોકપ્રિય નેતા રાહુલ ગાંધીએ આજે રાજકોટની મુલાકાત લીધી હતી. આજે રાજકોટમાં સૌરાષ્ટ્રના પાર્ટી કાર્યકરોને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે 2014ની ચૂંટણીઓમાં કરો યા મરોની સ્થિતિ નથી.
લોકસભા ચૂંટણી 2014 માટે પ્રચારનો આરંભ થઇ ગયો છે ત્યારે રાહુલ ગાંધીએ રાજકોટમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા. રાહુલ ગાંધીએ પાર્ટીના કાર્યકરોને શું જણાવ્યું તે અંગે રાહુલના શબ્દો ટાંકીને જામનગરના કોંગ્રેસી સાંસદ વિક્રમ માડમે જણાવ્યું કે "આપણે આપણી નબળાઇઓ ઓળખીને તેમાંથી બહાર આવવાની જરૂર છે. આપણે આપણી શક્તિઓને લોકોને સમક્ષ રજૂ કરવાની જરૂર છે."
આજે રાજકોટમાં રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કોંગ્રેસના કાર્યકરોની સાથે બેઠકોનો દોર યોજ્યો હતો. આ બેઠકમાં મીડિયાને અંદર જવાની પરવાનગી આપવામાં આવી ન હતી.

બેઠક અંગે માડમે જણાવ્યું કે રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરોને જણાવ્યું હતું કે "તેમણે 2014ની ચૂંટણીઓ અંગે ચિંતા કરવાની જરૂર નથી. આ કોઇ કરો કે મરોની સ્થિતિ નથી. વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીઓ બાદ પાર્ટીના અસ્તિત્વ અંગે કોઇ શંકા રહેશે નહીં કારણ કે કોંગ્રેસ એક કાયમી પાર્ટી છે."
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અમદાવાદની ગઇકાલની મુલાકાતમાં લોકસભા ચૂંટણી 2014માં વિજયાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે ગુજરાતમાં પાર્ટીને મજબૂત કરવાનું જણાવીને કહ્યું હતું કે આપણે 2014ની ચૂંટણીઓને મગજમાં રાખવાને બદલે લોકોની સેવા કરવાનો હેતુ રાખવો જોઇએ. આ માટે કોંગ્રેસે અમલી બનાવેલા પ્રયાસો જેવા કે આરટીઆઇ (માહિતીનો અધિકાર) અને આરટીએફ (અન્નનો અધિકાર)ને લોકો સમક્ષ લઇ જવા જોઇએ.
માડમે જણાવ્યું કે તેમણે કાર્યકરોને શીખ આપી હતી કે "આપણે સત્તાકેન્દ્રી બનવાને બદલે સત્તા વિના પણ લોકોની સેવા કરવાની શક્તિ મેળવવી જોઇએ."
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે રાહુલ ગાંધીની ગુજરાતથી કોંગ્રેસના કાર્યકરોમાં નવું જોમ આવ્યું છે. તેમણે પાર્ટીના નેતાઓને જણાવ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતમાં જીત મેળવવા સક્ષમ છે. આ માટે રાજ્યમાં પાર્ટીને મજબૂત બનાવવાની જરૂર છે.
-
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન






Click it and Unblock the Notifications
