રાજકોટમાં રાહુલનું પ્રોત્સાહન : 2014ની ચૂંટણીઓ કરો યા મરોનો જંગ નથી
રાજકોટ, 4 ઓક્ટોબર : ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ અને કોંગ્રેસ કાર્યકરોના લોકપ્રિય નેતા રાહુલ ગાંધીએ આજે રાજકોટની મુલાકાત લીધી હતી. આજે રાજકોટમાં સૌરાષ્ટ્રના પાર્ટી કાર્યકરોને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે 2014ની ચૂંટણીઓમાં કરો યા મરોની સ્થિતિ નથી.
લોકસભા ચૂંટણી 2014 માટે પ્રચારનો આરંભ થઇ ગયો છે ત્યારે રાહુલ ગાંધીએ રાજકોટમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા. રાહુલ ગાંધીએ પાર્ટીના કાર્યકરોને શું જણાવ્યું તે અંગે રાહુલના શબ્દો ટાંકીને જામનગરના કોંગ્રેસી સાંસદ વિક્રમ માડમે જણાવ્યું કે "આપણે આપણી નબળાઇઓ ઓળખીને તેમાંથી બહાર આવવાની જરૂર છે. આપણે આપણી શક્તિઓને લોકોને સમક્ષ રજૂ કરવાની જરૂર છે."
આજે રાજકોટમાં રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કોંગ્રેસના કાર્યકરોની સાથે બેઠકોનો દોર યોજ્યો હતો. આ બેઠકમાં મીડિયાને અંદર જવાની પરવાનગી આપવામાં આવી ન હતી.

બેઠક અંગે માડમે જણાવ્યું કે રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરોને જણાવ્યું હતું કે "તેમણે 2014ની ચૂંટણીઓ અંગે ચિંતા કરવાની જરૂર નથી. આ કોઇ કરો કે મરોની સ્થિતિ નથી. વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીઓ બાદ પાર્ટીના અસ્તિત્વ અંગે કોઇ શંકા રહેશે નહીં કારણ કે કોંગ્રેસ એક કાયમી પાર્ટી છે."
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અમદાવાદની ગઇકાલની મુલાકાતમાં લોકસભા ચૂંટણી 2014માં વિજયાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે ગુજરાતમાં પાર્ટીને મજબૂત કરવાનું જણાવીને કહ્યું હતું કે આપણે 2014ની ચૂંટણીઓને મગજમાં રાખવાને બદલે લોકોની સેવા કરવાનો હેતુ રાખવો જોઇએ. આ માટે કોંગ્રેસે અમલી બનાવેલા પ્રયાસો જેવા કે આરટીઆઇ (માહિતીનો અધિકાર) અને આરટીએફ (અન્નનો અધિકાર)ને લોકો સમક્ષ લઇ જવા જોઇએ.
માડમે જણાવ્યું કે તેમણે કાર્યકરોને શીખ આપી હતી કે "આપણે સત્તાકેન્દ્રી બનવાને બદલે સત્તા વિના પણ લોકોની સેવા કરવાની શક્તિ મેળવવી જોઇએ."
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે રાહુલ ગાંધીની ગુજરાતથી કોંગ્રેસના કાર્યકરોમાં નવું જોમ આવ્યું છે. તેમણે પાર્ટીના નેતાઓને જણાવ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતમાં જીત મેળવવા સક્ષમ છે. આ માટે રાજ્યમાં પાર્ટીને મજબૂત બનાવવાની જરૂર છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
