રાજ્યસભા ચૂંટણી માટે ગુજરાતમાંથી મનસુખ માંડવિયા તથા પૂરૂષોત્તમ રૂપાલાની પસંદગી
રાજ્યસભાની ચૂંટણી બીજેપીએ મનસુખ માંડવિયા તથા પુરૂષોતમ રૂપાલાના નામ જાહેર કર્યા છે. જાણો વધુ અહીં.
રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાત ભાજપમાં ધમધમાટ વધી ગયો છે. અને આગામી 23 માર્ચના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી બીજેપીએ જાહેર કરી દીધી છે. જેમા મનસુખ માંડવિયા તથા પુરૂષોતમ રૂપાલાના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ભારતીય જનતા પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ રાજ્યસભાના ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ બિહાર અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી મનસુખ માંડવીય અને પુરુષોત્તમ રૂપાલના નામ જાહેર કરવામાં આવ્યા છે. આગામી 23 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ તેના 8 ઉમેદવારોની જાહેરાત કરી છે. ગુજરાતમાંથી કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયા અને પુરષોત્તમ રૂપાલાને રિપીટ કરાયા છે. જ્યારે નાણાપ્રધાન અરૂણ જેટલીને ઉત્તરપ્રદેશ મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અરૂણ જેટલી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હતા પરંતુ આ વખતે વિધાનસભામાં ભાજપની સીટો ઘટી જતા માત્ર બે સભ્યોને રાજ્યસભા મોકલી શકે તેમ છે તેથી જેટલીને યુપી મોકલવામાં આવ્યા છે. રાજ્યમાં પાટીદારો કારણે બંન્ને પાટીદાર નેતાઓને રિપીટ કરાયા છે.

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટો ખાલી થવાની છે. અત્યાર સુધી ચારેય સીટો ભાજપના કબજામાં હતી. પરંતુ આ વખતે ભાજપ માત્ર બે સભ્યોને રાજ્યસભા મોકલી શકશે. કોંગ્રેસનું વિધાનસભામાં સંખ્યાબળ વધતા બે સભ્યો તેના રાજ્યસભામાં પહોંચશે. મનસુખ માંડવિયાએ આ અંગે ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહનો આભાર માન્યો હતો. ભાજપ પક્ષ જે રીતે પોતાનો ફેલાવો વધારતો જાય છે તે જોતા હવે તમામ ચૂંટણીઓમાં ભાજપા દીર્ધદ્રષ્ટિથી જ ઉમેદવારોની પસંદગી કરે છે. મનસુખ માંડવિયા અને ખાસ તો પુરુષોત્તમ રૂપાલા ગુજરાત ભાજપના કાર્યકરોમાં તથા પક્ષમાં માનવતું સ્થાન ધરાવે છે અને ઠીક ઠીક લોકપ્રિય પણ છે તેથી રાજ્યસભાની ચૂંટણીમાં તેમનું નામ પસંદ થયું હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્યસભાની ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાંથી અરૂણ જેટલી, મધ્યપ્રદેશમાંથી થાવરચંદ ગેહલોત અને ધર્મેન્દ્ર પ્રધાનનું નામ છે, જ્યારે હિમાચલ પ્રદેશમાંથી જે.પી.નડ્ડા, બિહારમાંથી રવિશંકર પ્રસાદ અને રાજસ્થાનમાંથી ભૂપેન્દ્ર યાદવનું નામ મૂકવામાં આવ્યું છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
