રામ મંદિર પર સેમ પિત્રોડાએ આપ્યું મોટું નિવેદન
રામ મંદિર મામલે સેમ પિત્રોડાએ આપ્યું કહ્યું કે ભારતના લોકોએ રામ મંદિર અને તેના ઇતિહાસના મુદ્દાથી આગળ વધવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે હાલ સેમ પિત્રોડા ગુજરાતની મુલાકાતે છે. ત્યારે જાણો આ અંગે વધુ અહીં.
રામ મંદિર પર મામલે જાણીતા સેમ પિત્રોડાએ મોટું નિવેદન આપ્યું છે. પિત્રોડાએ કહ્યું કે રામ મંદિરના ઇતિહાસના મુદ્દાઓથી હવે આપણે આગળ વધવું જોઇએ. તેમણે કહ્યું કે જ્યારે પણ હું ભારતમાં ચાલી રહેલી ચર્ચાઓ વિષે દેખું છું તો રામ મંદિર અને તેના ઇતિહાસને લઇને ચર્ચાઓ થતી રહે છે. આપણને અતિથમાં અટવાઇને રહેવું ગમે છે. પણ હવે સમયની માંગ મુજબ આપણે આ મુદ્દાઓથી આગળ વધવું જોઇએ. સાથે જ તેમણે રાષ્ટ્રીય નવપ્રવર્તન પરિષદને બંધ કરવાના નિર્ણયની પણ આલોચના કરી છે. તેમણે કહ્યું કે હું ભારત સરકારના ઇનોવેશન પરિષદને બંધ કરવાના નિર્ણયથી હું નિરાશ છું. ઉલ્લેખનીય છે કે સૈમ પિત્રોડા હાલ ગુજરાતમાં છે. તે અહીં વાણિજ્ય અને ઉદ્યોગ મંડળમાં ઇનોવેશન પર ભાષણ આપવા આવ્યા હતા.

તેમણે કહ્યું કે નવપ્રવર્તનને મનમોહન સિંહ સરકારે શરૂ કર્યું હતું જે રોજગાર ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે જેને હાલની સરકારે બંધ કરી દીધું. સાથે જ આ પ્રસંગે તેમણે કહ્યું કે આજે તમામ ક્ષેત્રમાં ઇનોવેશનની ખૂબ જ જરૂર છે. ભલે તે સરકાર હોય કે ન્યાયાલય કે પછી શિક્ષા અને સ્વાસ્થય. પણ દુખની વાતતો એ છે કે ભારતના લોકો આગળનું વિચારવાના બદલે ભૂતકાળની ચર્ચાઓમાંથી જ બહાર નથી આવતા. ઉલ્લેખનીય છે કે સેમ પિત્રોડાને ભારતમાં સૂચના ક્રાંતિના જનક માનવામાં આવે છે. અને તે યુપીએ સરકાર સમયે ભારતીય જ્ઞાન આયોગના ચેરમેન પણ રહી ચૂક્યા છે. સાથે જ તેમણે 1984માં રાજીવ ગાંધીની સરકારમાં સેન્ટર ફોર ડેવલેપમેન્ટ ઓફ ટેલિમેટ્રિક્સની સ્થાપના કરી હતી.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
