ફી નિયમન મુદ્દે સુપ્રીમના આદેશ બાદ ભાજપ કોંગ્રેસની નિવેદન બાજી
ફી નિયમન મામલે સુપ્રીમ કોર્ટે આવી વાલીઓના બચાવમાં આપ્યો મહત્વોનો નિર્ણય. જો કે તે પછી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નિવદનોનો વાદ વિવાદ શરૂ થઇ ગયો છે.
શાળાઓના ફી નિયમનના કાયદા સામે સંચાલકો અને સરકારે સુપ્રીમમાં કરેલી અરજી મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં સરકારના કાયદાને આડકતરી રીતે સમર્થન આપી દીધું છે. ફી નિયમન મુદ્દે વાલીઓ દ્વારા સુપ્રીમમાં અરજી કરવામાં આવી હતી તે અંગે આજે સુનાવણી થઈ છે. સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં હાલની ફી નિર્ધારણ સમિતિ નવેસરથી બનાવવાની સૂચના આપી તેમાં વાલીમંડળનો પણ સમાવેશ કરવાનો આદેશ કર્યો છે. અને કહ્યું છે કે સરકારે નક્કી કરેલી પ્રોવિઝનલ ફી જ લેવાશે તેમજ વધારાની ફી પરત કરવા સુપ્રીમે આદેશ આપ્યો છે જોકે આ મુદ્દે હવે ભાજપ કોંગ્રેસ આમને સામને નિવેદનો કરી રહ્યા છે.

તેમજ સુપ્રીમ કોર્ટે જણાવ્યુ છે કે જે એફ.આર.સી કમિટી રચવામાં આવે તેમાં હાઇકોર્ટના 4 નિવૃત જજને પણ સામેલ કરવામાં આવે. અને ફી નક્કી કરતી વખતે વાલી મંડળની રજૂઆત એફ.આર.સી કમિટી સાંભળે તેમ જણાવ્યું હતું. આ અંગે પ્રતિક્રિયા આપતા ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે હવે ચુકાદોનો અભ્યાસ કરી વધુ જાહેરાત કરવામાં આવશે. તેમજ તેમણે જણાવ્યુ હતું કે સુપ્રીમ કોર્ટે પણ ગુજરાત સરકારને સમર્થન આપ્યું છે આ અંગે કોંગ્રેસ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બીજેપીએ સત્તા જવાના ડરે કાગળ પર કાયદો બનાવ્યો છે. બીજેપીએ પોતાના મળતિયાઓને જ કમિટીમાં રાખ્યા હતા. પરંતુ સુપ્રીમના આદેશથી બીજેપીની ફી લૂંટવાની યોજના પર પાણી ફરી વળ્યું છે કોંગ્રેસ જણાવ્યું હતું કે બીજેપીની રચેલી કમિટી શંકાસ્પદ હતી. ત્યારે કોંગ્રેસ આ મુદ્દે સતત વાલીઓની સાથે રહી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
