Lok Sabha election 2024: લોકસભા ચૂંટણી માટે ભાજપ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ, આ નેતાઓએ કરી દાવેદારી
Lok Sabha election 2024: ગુજરાતમાં લોકસભાની 26 બેઠક માટે ભારતીય જનતા પાર્ટીમાં પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણાથી ચૂંટણી લડવાની ઇચ્છા જણાવી છે.
જ્યારે પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદ પૂર્વથી ટિકિટ માંગી છે. કોંગ્રેસથી ભાજપમાં આવેલા ધીરૂ ગજેરા, કામિનીબેન રાઠોડે પણ લોકસભાની ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે.

10 હજારથી વધુ નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાશે - બીજી તરફ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે દાવો કર્યો છે કે, મંગળવારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના 10 હજાર નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાશે. આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા સાથે રાજ્યમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.
આ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે નીતિન પટેલ - ગુજરાતના નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિન પટેલે મહેસાણા સંસદીય બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વિજય રૂપાણીની સરકારમાં નાયબ મુખ્યપ્રધાન રહી ચૂકેલા નીતિનને તેમની જ પાર્ટીના પૂર્વ મંત્રી અને ગુજરાત ભાજપના મહામંત્રી રજની પટેલના પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. રજની સહિત 20 જેટલા નેતાઓ મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડવા ઇચ્છુક છે.
આ બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે હંસમુખ પટેલ - રૂપાણી સરકારમાં મંત્રી રહી ચૂકેલા પ્રદીપસિંહ જાડેજા અને પૂર્વ ધારાસભ્ય બલરામ થાવાણી અમદાવાદ પૂર્વથી લોકસભાની ચૂંટણી લડવા માગે છે. ગત વિધાનસભા ચૂંટણીમાં આ બંને નેતાઓની ટિકિટ કપાઈ હતી. સોમવારે પાર્ટી નિરીક્ષકો સમક્ષ હાજર થઈને તેમણે ટિકિટ પર દાવો કર્યો હતો. અમદાવાદ પૂર્વ બેઠકના વર્તમાન સાંસદ હંસમુખ પટેલ ફરી એકવાર આ બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે.
પાર્ટીઓ બદલી રહ્યા છે મોટી સંખ્યામાં કાર્યકરો - ગુજરાત ભાજપ મહિલા મોરચાએ તેના પ્રદેશ પ્રમુખ ડૉ. દીપિકા સરડવાને રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવાની માંગણી કરી છે. રાજકોટ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણ માકડિયાએ ડૉ. દીપિકાના નામની દરખાસ્ત કરી હતી. આ બેઠક પર ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું નામ પણ ચર્ચામાં છે. ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ બાદ હવે કાર્યકરો પણ મોટી સંખ્યામાં પાર્ટીઓ બદલી રહ્યા છે.
અમિત શાહને 10 લાખ મતોના માર્જિનથી જીતાડવાનો સંકલ્પ કરો - ભાજપે લોકસભા બેઠક માટે દાવેદારોના નામ તૈયાર કરવા માટે ત્રણ સભ્યોની નિરીક્ષણ ટીમ બનાવી છે. ભાજપના અધિકારીઓએ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ભાજપના નેતાઓ વર્ષા દોશી અને સનમ પટેલ સમક્ષ ગાંધીનગર સંસદીય બેઠક માટે અમિત શાહના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. પાર્ટીના નેતાઓએ દાવો કર્યો છે કે, શાહ આ સીટ 10 લાખ મતોના માર્જીનથી જીતશે.












Click it and Unblock the Notifications
