Shree ram mandir Pran Pratistha: રામમય બની શ્રીકૃષ્ણની નગરી દ્વારકા
Shree ram mandir Pran Pratistha: ભગવાન શ્રીકૃષ્ણની ધરતી દ્વારકાથી લઇને ડાંગ જિલ્લાની શબરીધામ સુધી સમગ્ર ગુજરાત રામમય માહોલના રંગમાં રંગાઇ ગયા છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રણ પ્રતિષ્ઠાના પાવન અવસર પર સમગ્ર દેશમાં ઘણા સ્થળો પર ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રીથી લઈને સામાન્ય લોકો સુધી દરેક પોતપોતાની રીતે આ ક્ષણને યાદગાર બનાવવામાં વ્યસ્ત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર સમગ્ર રાજ્યના મંદિરોની સફાઈ કરવામાં આવી છે.
ગુજરાતના લગભગ તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

રવિવારથી સોમવાર સુધી સમગ્ર રાજ્યના મંદિરોમાં શોભા યાત્રા, સુંદરકાંડ પાઠ, હવનનું આયોજન કરવામાં આવશે. રવિવારે સવારથી જ વિવિધ સ્થળોએ શોભાયાત્રાઓ નિકળવા લાગી હતી.
આ શોભાયાત્રાઓમાં આકર્ષક વેશભૂષામાં ભક્તો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અમદાવાદના નિકોલ સ્થિત પૂજન બંગલાથી ભવ્ય શોભાયાત્રા નીકળશે.
વસ્ત્રાલના રામજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ભાગ લેશે. રવિવારે સાંજે જ સરદારનગર વિસ્તારમાંથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે.
આ યાત્રા સરદારનગરમાં પરિભ્રમણ કર્યા બાદ ઈન્દિરા બ્રિજ થઈને છટપૂજા ઘાટ ખાતે પૂર્ણ થશે. અહીં 10 થી 15 હજાર દીવા પ્રગટાવવામાં આવશે. નિકોલમાં સાંજે 4 થી 6 દરમિયાન ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. જેમાં ઊંટ અને બળદગાડા પર સવાર નાના બાળકો રામાયણના પાત્રોની ઝાંખીમાં ભાગ લેશે.
અમદાવાદના જમાલપુરમાં ભગવાન જગન્નાથ મંદિરમાં સોમવારે સવારે સુંદરકાંડ કરવામાં આવશે અને બપોરે 12 વાગ્યાથી શ્રી રામ જયઘોષ કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા સમયે આતશબાજી અને મહા આરતી કરવામાં આવશે. સાંજે દીપોત્સવ યોજાશે. સ્વામિનારાયણ મંદિરમાં પણ અનેક કાર્યક્રમો યોજાશે. દીપોત્સવ, આરતી અને વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવશે. આતશબાજીનું પણ આયોજન કરવામાં આવશે.
અમદાવાદમાં લાલ દરવાજાના ભદ્રકાલી મંદિરમાં 22 જાન્યુઆરીએ સુંદરકાંડનું પણ પાઠ કરવામાં આવશે. બપોરે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં 16 સ્થળોએ ભવ્ય દિવસનું આયોજન કરવામાં આવશે. જેમાં અનેક નામાંકિત લોક કલાકારો લોકોને ભક્તિમાં તરબોળ કરશે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
