For Daily Alerts
જુનાગઢના કેશોદમાં ભેદી ધડાકો, લોકોમાં ફફડાટ
મળતી માહિતી અનુસાર, કેશોદ ખાતે બપોરના 1.30થી 2 વાગ્યાની વચ્ચે કોઇ ભેદી ધડાકો થઇ હોવાની વાતની પૃષ્ટિ વહિવટી વિભાગ દ્વારા કરવામાં આવી છે. જો કે, આ ધડાકાના કારણે કોઇ જાન-માલનું નુક્સાન નહીં થયું હોવાની પ્રાથમિક માહિતી છે. મામલતદાર કચેરીની એક ટૂકડી ઘટના સ્થળે પહોંચી છે અને ધડાકો કેવી રીતે થયો તે જાણવામાં લાગી ગઇ છે. બીજી તરફ ભૂસ્તર વિભાગે આ કોઇ ભૂકંપનો આંચકો હોવાની વાતની કોઇ પૃષ્ટિ કરી નથી.
અત્રે આ વાત ઉલ્લેખનીય છે કે હાલમાં જ કચ્છના ભચાવ તેમજ રાધનપુરમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેથી બની શકે કે આ પણ ભૂકંપના આંચકાના કારણે જ થયું હોય પરંતુ હજુ સુધી એ વાતની કોઇ અધિકારિક પૃષ્ટિ જાણવા મળી નથી. લોકોમાં એક હદે ફફડાટ વ્યાપી ગયો હતો.
Comments
English summary
some hiding sound from under of land in keshod of junagadh district. dept start investigation.
Story first published: Thursday, November 8, 2012, 14:43 [IST]