આજે યોજાનાર તલાટીની પરીક્ષામાં 8.65 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે
આજે તલાટીની 8.65 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યના અલગ અલગ જિલ્લામાં 2697 કેન્દ્રો પર 28,814 વર્ગ ખંડોમાં પરીક્ષા યોજાશે. પરીક્ષામા કોઇ પણ પ્રકારની ગેરરીતિ ના થાય તેને લઇને કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

પરીક્ષા 12:30 થી 1:30 વાગ્યા સુધી એખ કલાક યોજાશે ઉમેદવારે 11:55 વાગ્યે પરીક્ષા ખંડમાં પ્રવેશ લઇ લેવાનો લેશે. આ સાથે પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમરાથી સર્વેલન્સ પણ કરવામાં આવશે. સાથે વિદ્યાર્થીઓ કોઇ પણ પ્રકારની ડિજિટલ ગેઝેટ પોતાની સાથે લઇ જઇ શકશે નહી. તેમજ પોત બુટ ચપલ પણ વર્ગ ખંડની બહાર ખાઢવાના રહેશે.
રાજ્યમાં યોજાનાર પકીક્ષાને લઇને 17 લાખ જેટલા ઉમેદવારો નોધાયા હતા. પરંત તેમાથી જ્યારે ભરતી બોર્ડ દ્વારા કન્ફોર્મેશન મંગાવામાં આવ્યા તો તેમાથી 8 લાખ 65 હજાર જેટલા ઉમેદવારોએ જ કન્ફોર્મેશન આપતા તેટલા ઉમેદવારો પુરતી જ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કરીને સરકારની મશીનરીનો બગાડ ના થાય .
પરીક્ષાને લઇને રાજ્યમાં એસટી વિભાગ અને રેલવે દ્વારા વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કરીને પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોચવામાં કોઇ તકલીફનો સામનો ના કરવો પડે. રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગની સાથે સાથે રેલવેને પણ પત્ર લખીને પરીક્ષાને ધ્યાનમાં રાખીને વધારાની ટ્રેન દોડવા માટે ભલાણ કરતો પત્ર લખવામા આવ્યો હતો.












Click it and Unblock the Notifications
