આંખના ટીપા ઇન્ફેક્શન માટે શ્રીલંકાએ ગુજરાત ફર્મને ઠેરવી દોષી, જાણો શું છે ઘટના
ગુજરાતની એક કંપની પર શ્રીલંકામાં નબળી ગુણવત્તાના આઇ ડ્રોપ્સ સપ્લાય કરવાનો આરોપ છે. શ્રીલંકાની સરકારે ભારત સરકારને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઇન્ડિયાના ઓપ્થેલ્મિક્સ નામની કંપની દ્વારા પૂરા પાડવામાં આવતા આંખના ટીપાંથી 30 થી વધુ લોકોને આંખમાં સંક્રમણ લાગ્યું છે.
આ આરોપોને કારણે ભારતની ટોચની ફાર્માસ્યુટિકલ્સ નિકાસ કાઉન્સિલ દ્વારા કંપનીને નોટિસ મોકલવામાં આવી છે, જેમાં આગામી બે દિવસમાં આંતરિક તપાસ અંગે કંપની પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે.

ફાર્મેક્સિલ - એક એજન્સી જે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે - ગુરુવારના રોજ ઇન્ડિયાના ઓપ્થેલ્મિક્સને કારણ બતાવો નોટિસ મોકલી છે.
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને કંપની દ્વારા ઉત્પાદિત મેથાઈલપ્રેડનિસોલોન આઈ ડ્રોપ્સની ગુણવત્તા અંગેની ચિંતાઓ અંગે પણ તપાસ શરૂ કરી છે.
ઇન્ડિયાના ઓપ્થેલ્મિક્સને પત્રમાં ફાર્મેક્સિલના ડાયરેક્ટર જનરલ ઉદય ભાસ્કરે જણાવ્યું હતું કે, તમારી કંપની દ્વારા દૂષિત આઇડ્રોપ્સના કથિત સપ્લાયથી ભારતીય ફાર્મા ઉદ્યોગની પ્રતિષ્ઠા ખરડાઇ રહી છે અને ભારતીય ફાર્મા નિકાસ પર આંતરરાષ્ટ્રીય એજન્સીઓના વિશ્વાસ પર પણ તેની અસર થવાની સંભાવના છે.
કંપની દ્વારા સપ્લાય કરવામાં આવેલા આઇ ડ્રોપ્સમાં ગુણવત્તાની સમસ્યા હોવાનો કંપનીએ ઇન્કાર કર્યો છે. એક વર્ષમાં આ ચોથી ઘટના છે, જ્યારે ભારતીય બનાવટની દવાઓ અન્ય દેશોમાં દૂષિત જાહેર કરવામાં આવી રહી છે.
એપ્રિલમાં, ચેન્નાઈ સ્થિત ફર્મ યુએસમાં ત્રણ મૃત્યુ અને અંધત્વ સાથેની ઘટનામાં જોડાયેલી હતી. આક્ષેપો બાદ, તમિલનાડુના ડ્રગ કંટ્રોલર અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા ગ્લોબલ ફાર્મા હેલ્થકેર નામની પેઢી દ્વારા બનાવવામાં આવેલા આંખના ટીપાંના નમૂનાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને પરિણામો પેઢીની તરફેણમાં આવ્યા હતા.
આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરક્ષાના પગલાને ધ્યાનમાં રાખીને ફાર્માસ્યુટિકલ કંપનીને આંખના ટીપાંનું ઉત્પાદન બંધ કરવા માટે કહેવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
