વેપારી જહાજના ચાલક દળના 12 સભ્યોને ગુજરાતના ઉમરગામ તટ પાસે બચાવાયા
ગુજરાતમાં ઉમરગામ તટ પાસે એક અન્ય વેપારી જહાજની મદદથી કાલે રાતે એક વેપારી જહાજના ચાલકદળના બાર સભ્યોને બચાવવામાં આવ્યા.
નવી દિલ્લીઃ ભારતીય તટરક્ષક દળ(આઈસીજી)એ ગુરુવારે એક અધિકૃત નિવેદનમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં ઉમરગામ તટ પાસે એક અન્ય વેપારી જહાજની મદદથી કાલે રાતે એક વેપારી જહાજના ચાલકદળના બાર સભ્યોને બચાવવામાં આવ્યા. મુંબઈમાં આઈસીજીના સમુદ્રી બચાવ સમન્વય કેન્દ્ર(MRCC)ને બુધવારે બપોરે સૂચના મળી કે વેપારી જહાજ કંચન પોતાના 12 સભ્યો સાથે ગુજરાતના વલસાડમાં ઉમરગામ પાસે ફસાઈ ગયુ હતુ કારણકે દૂષિત ઈંધણના લીધે તેનુ એન્જિન અને વીજળી કામ કરતી બંધ થઈ ગઈ હતી.
આઈસીજીએ પોતાના નિવેદનમાં ઉલ્લેખ કર્યો કે એમઆરસીસીએ કંચનની મદદ કરવા માટે પોતાની આસપાસના બધા જહાજોની ઓળખ કરવા માટે તરત આંતરરાષ્ટ્રીય સુરક્ષા જાળને સક્રિય કરી દીધી. વેપારી જહાજ હરમીઝ કે જે કંચનની આસપાસના ક્ષેત્રમાં હતુ તેણે ત્વરિત પ્રતિક્રિયા આપી અને તરત જ સંકટગ્રસ્ત બોટ તરફ વાળી દીધુ. તટરક્ષક દળ આખા અભિયાન દરમિયાન બચાવ જહાજ એમવી હરમીઝ સાથે સમન્વય રાખી રહ્યુ હતુ.
આઈસીજીએ પોતાના નિવેદનમાં નોંધ્યુ કે, 'ક્ષેત્રમાં હવામાન ખરાબ હતુ જેાં 50 સમુદ્રી માઈલ સુધી પવન ફૂંકાઈ રહ્યો હતો અને લહેરો 3થી 3.5 મીટર સુધી ઉંચે જઈ રહી હતી. ઉબડ-ખાબડ સમુદ્રમાં હરમીજે બુધવારે એક સાહસી રાતના ઑપરેશનમાં કંચનના બધા 12 ચાલક દળને સુરક્ષિત રીતે બહાર કાઢી દીધા.' આઈસીજીએ ચાલક દળના સભ્યોનો બચાવવાનો એક વીડિયો જાહેર કરીને કહ્યુ, 'સારુ કામ કર્યુ હરમીઝ'
#Savinglives In a swiftly coordinated operation by MRCC #Mumbai, MV Hermeez, braving rough seas, rescued 12 crew of distressed vessel MV Kanchan stranded off Umargam, #Maharashtra on 21 Jul night.Well done Hermeez. @DefenceMinIndia @shipmin_india pic.twitter.com/TiZaofyO9i
— Indian Coast Guard (@IndiaCoastGuard) July 22, 2021