રાજ્યપાલના સંબોધનમાં વિપક્ષો સહિત તમામ સભ્યોનો સહયોગ : રાજ્યપાલએ આભાર માન્યો
ગુજરાત વિધાનસભાના સત્રના પ્રારભ રાજ્યપાલના ભાષણ સાથે થયો હતો. જેમા વિરોધ પક્ષ દ્વારા કોઇ જ પ્રકારનો હંકામ કર્યો નહોતો. તેને લઇને રાજ્યપાલે તેમનો અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 15 મી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રના શુભારંભે વિધાનસભા ગૃહને સંબોધન કર્યું હતું. રાજ્યપાલએ 35 મિનિટ સુધી ગૃહને સંબોધન કર્યું. તમામ સભ્યોએ ગરિમા અને સન્માનપૂર્વક તેમનું સંબોધન સાંભળ્યું હતું અને પ્રશંસા કરી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંબોધનના અંતે કહ્યું હતું કે, વિપક્ષના સભ્યોએ પણ મર્યાદાનું પાલન કરીને ગૃહનું ગૌરવ અને પ્રતિષ્ઠા વધે એ પ્રકારે મારા સંબોધનમાં સહયોગ આપ્યો છે. તેમણે આ માટે વિપક્ષ સહિત ગૃહના તમામ સભ્યોનો આભાર માન્યો હતો.












Click it and Unblock the Notifications
