સુરતનુ હીરા બજાર 31 જુલાઈ સુધી રહેશે બંધ, ઑડ-ઈવનથી ખુલશે ઘણા વિસ્તારોની દુકાનો
સુરતમાં હીરા બજારને 21થી 31 જુલાઈ સુધી લૉક કરી દેવામાં આવ્યુ છે.
ગુજરાતમાં સુરત શહેરમાં કોરોનાના નવા કેસ બહુ ઝડપથી સામે આવી રહ્યા છે. અહીં શહેર-બજારમાં વાયરસનુ સંક્રમણ સતત ફેલાઈ રહ્યુ છે. એવામાં સંક્રમણને રોકવા માટે પ્રશાસન પણ કડકાઈ વર્તી રહ્યુ છે. હવે અહીં હીરા બજારને 21થી 31 જુલાઈ સુધી લૉક કરી દેવામાં આવ્યુ છે. જેમાં વરાછા મિની બજાર, ચોક્સી બજાર અને સેફ્ટી ડિપોઝિટ વૉલ્ટનો વિસ્તાર શામેલ છે.

બજારબંધ વિશે જણાવતા જીજેઈપીસીના ક્ષેત્રીય અધ્યક્ષ દિનેશ નવાડિયાએ કહ્યુ કે આ મુદ્દે તેમણે ચોકસી બજારના અધ્યક્ષ ભગવાનદાસ સાથે બેઠક કરી હતી જેમાં માનગઢ-1ના અધ્યક્ષ કે કે અને માનગઢ-2ના અધ્યક્ષ વિનુ ડાભી પણ શામેલ હતા. જેમાં એ વાત પર જોર આપવામાં આવ્યુ કે બજારને સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં આવે. આ નિર્ણય 21થી 31 જુલાઈ સુધી પ્રભાવી રહેશે.
સુરતમાં 19 જુલાઈથી સ્વૈચ્છિક બંધ રાખવામાં આવી રહેલ 10 કાપડ બજાર આજથી ઑડ-ઈવન ફૉર્મ્યુલા હેઠળ ખોલવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યુ કે અહીં રિંગ રોડના 8થી 10 કપડા માર્કેટ સોમવારથી ખુલશે. વાસ્તવમાં એસટીએમ અને એનટીએમ સહિત 8થી 10 માર્કેટ કોરોના સંક્રમણના વધવાના કારણે બંધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ માર્કેટની સમિતિઓએ રિવ્યુ મીટિંગ કરી જેમાં ઑડ-ઈવન ફૉર્મ્યુલા ઉપયોગ કરવા પર સંમતિ બની.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
