સુરત આગ: ગુજરાતમાં તમામ ટ્યુશન બિલ્ડિંગોમાં ફાયર સલામતી તપાસનો આદેશ
ગુજરાતમાં સુરતમાં એક ટ્યૂશન ક્લાસ બિલ્ડિંગમાં લાગેલી આગમાં મૃત્યુનો આંકડો 23 છે. શનિવારે બે વધુ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓના મોત થયા હતા, જ્યારે 7 ની સ્થિતિ વધુ ગંભીર છે.
ગુજરાતમાં સુરતમાં એક ટ્યૂશન ક્લાસ બિલ્ડિંગમાં લાગેલી આગમાં મૃત્યુનો આંકડો 23 છે. શનિવારે બે વધુ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓના મોત થયા હતા, જ્યારે 7 ની સ્થિતિ વધુ ગંભીર છે. આ પહેલા શુક્રવારે રાત્રે, 3 વિદ્યાર્થીઓ અને 15 છોકરીઓ સહિત 21 લોકો મૃત્યુ પામ્યા હતા. અકસ્માત બાદ મુખ્યમંત્રી વિજય રુપાણીની જાહેરાત બાદ, સરકાર હવે તમામ સરકારી અને ખાનગી શાળાઓ અને ટ્યુશન ક્લાસીસોમાં ફાયર સંરક્ષણ ધોરણોની તપાસ કરશે. જે બિલ્ડિંગ ફાયર સેફ્ટી સુવિધા નઈ હોય, તેને સીલ કરવામાં આવશે.
આ પણ વાંચો: સુરત આગ: જેને લોકો હીરો કહી રહ્યા છે, પોલીસે તેને મુખ્ય આરોપી તરીકે પકડ્યો

બાળકોની સંપૂર્ણ સુરક્ષા કરનારા ટ્યુશન ક્લાસ ચલાવવા માટેની જ પરવાનગી
ગુજરાત શાળા શિક્ષણ સચિવ વિનોદ રાવે કહ્યું છે કે અમે ગુજરાતની બઘી સરકારી અને ખાનગી શાળાઓમાં આગ સલામતીની તપાસ કરવાનું શરૂ કર્યું છે. સરકારી ખાનગી શિક્ષણ ટ્યુશનોમાં પણ સખત પગલાં લેવામાં આવશે. અને આવી દુકાનો બંધ કરવા અને ટ્યુશન ક્લાસને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બાળકોની સંપૂર્ણ સુરક્ષા કરનારા ટ્યુશન ક્લાસ ચલાવવા માટેની જ પરવાનગી આપવામાં આવશે.

મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાની રાહત આપવાની જાહેરાત
સુરતના સનાથલ જકાતનાકા નજીકના તક્ષશિલા બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટનામાં 23 બાળકોના મોત થયા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, આ બાબતે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને રાજ્યના મુખ્યમંત્રીએ મૃતકના પરિવારને રૂ. 4 લાખની રાહતની જાહેરાત કરી છે. રાજ્યમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસમાં ફાયર અને સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

જે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના ધોરણો સારા છે તે જ ખુલશે
સરકારી શિક્ષણ અને શહેરી વિકાસ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં સરકારી અને ખાનગી શાળાઓ અને ટ્યુશનો ચાલે છે. તે તમામ બિલ્ડીંગો બંધ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યાં સુધી તપાસ પૂર્ણ નહિ થશે ત્યાં સુધી, આ બિલ્ડીંગોના સીલ ખુલશે નહિ. એકવાર તપાસ પૂર્ણ થઈ જાય પછી, જો એવું લાગે કે ફાયર સલામતીના ધોરણો સારા છે, તો તે જ બિલ્ડિંગના સીલ ખોલવામાં આવશે.

આ મોટા શહેરોમાં થઇ રહી છે ફાયર સેફટીની તપાસ
ગુજરાતના મોટા શહેરો જેવા કે સુરત, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા અને જુનાગઢ જેવા મુખ્ય શહેરોમાં પ્રતિબંધિત આદેશ આપવામાં આવ્યા છે. સરકારે સરકારી અને ખાનગી શાળાઓમાં આગ સલામતીની તપાસ શરૂ કરી દીધી છે.












Click it and Unblock the Notifications
