Surendranagar Accident : સુરેન્દ્રનગર પાસે ખૌફનાક અકસ્માત, 8 લોકો જીવતા સળગી ગયા
Surendranagar Accident : સુરેન્દ્રનગર જિલ્લાના દેદાદરા ગામ પાસે રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં આઠ લોકોના કરૂણ મોત થયા છે. આ ઘટનામાં તમામ લોકો જીવતા ભૂંજાઈ ગયા.
આ ઘટના બપોરે લગભગ 3:30 વાગ્યે બની. એક સ્વિફ્ટ ડિઝાયર કાર અને ટાટા હેરિયર એસયુવી વચ્ચે જોરદાર ટક્કર બાદ આગ લાગી અને તમામ લોકોના મોત થઈ ગયા.

આ ગમખ્વાર અકસ્માત એટલો ભયંકર હતો કે અથડામણ બાદ ડિઝાયર કારમાં ભીષણ આગ લાગી હતી. કારમાં સવાર આઠ લોકો અંદર ફસાયા હતા અને આગમાં જીવતા બળી ગયા હતા. એસયુવીમાં સવાર ત્રણ લોકો સામાન્ય ઈજાઓ સાથે બચવામાં સફળ રહ્યા હતા.
અકસ્માત બાદ સ્થાનિકો, પોલીસ કર્મચારીઓ અને 108 ઈમરજન્સી મેડિકલ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનાને કારણે હાઈવે પર ટ્રાફિક જામ પણ જોવા મળ્યો.
મૃતકોમાં ભવાનગરના ચાર, લખતરના બે, જામનગર અને ગાંધીધામના એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે.
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા આઠ લોકો
- મીનાબા રાણા (લખતર)
- રાજેશ્વરીબા રાણા (લખતર)
- પ્રતિપાલસિંહ ચુડાસમા (ભાવનગર)
- રિદ્ધિબા ચુડાસમા (ભાવનગર)
- કૈલાશબા ચુડાસમા (ભાવનગર)
- દિવાશ્રીબા ચુડાસમા (ભાવનગર)
- નીતાબા જાડેજા (જામનગર)
- દિવ્યાબા જાડેજા (ગાંધીધામ)
આ ગમખ્વાર અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
