Ration Card KYC : હવે આ લોકોને રાશનકાર્ડમાં મફત અનાજ નહીં મળે, કરવુ પડશે આ કામ
Ration Card KYC : સુરેન્દ્રનગર જિલ્લામાં વહિવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કેવાયસી ન કરાવનારા રાશનકાર્ડ ધારકોને અનાજ નહીં મળે.
આ નિર્ણયથી KYC ન કરાવેલા ગ્રાહકો સસ્તા અનાજથી વંચિત રહેશે. આવા ગ્રાહકોને વહેલી તકે કેવાયસી કરાવવા જણાવાયુ છે.

KYC પ્રક્રિયા પુરી ન થવાના કારણે સુરેન્દ્રનગર વહિવટી તંત્રે નિર્ણય કર્યો છે કે સસ્તા અનાજની દુકાનોમાંથી કેવાયસી વગર અનાજ આપવામાં આવશે નહીં. સસ્તા અનાજના દુકાનદારોને પણ આ અંગે સૂચના આપવામાં આવી છે.
જિલ્લાની તમામ રાશનકાર્ડ ધારકોએ કેવાયસી કરાવવું જરૂરી છે અને તંત્ર દ્વારા તમામને કચેરીઓમાં જઇને કેવાયસી પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે.
E-KYC મોબાઈલથી કેવી રીતે કરશો?
- ફૂડ એન્ડ લોજિસ્ટિક ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
- Ration Card KYC Online ઓપ્શન શોધો અને ક્લિક કરો.
- ફોર્મ ઓપન થતાં પરિવારના બધા સદસ્યોના નામ અને રેશન કાર્ડ નંબર દાખલ કરો.
- Capture Code ભરો અને આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર પર આવેલ OTP દાખલ કરો.
- વેરિફિકેશન પ્રોસેસ શરૂ થશે અને E-KYC પૂર્ણ કરવા માટે બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું પડશે.
- બાયોમેટ્રિક વેરિફિકેશન પૂર્ણ થયા પછી પ્રોસેસ બટન ક્લિક કરો.
E-KYC માટે જરૂરી દસ્તાવેજો
- રાશનકાર્ડ (Ration Card)
- આધાર કાર્ડ (Aadhar Card)
- રેશન કાર્ડ ધારક ભારતીય નાગરિક હોવો જોઈએ
આ પ્રક્રિયાને પૂર્ણ કર્યા બાદ રાશનકાર્ડ ધારક સસ્તા અનાજ મેળવવા માટે પાત્ર બનશે. તેથી તમારે તરત જ KYC પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
