Ration Card KYC : હવે આ લોકોને રાશનકાર્ડમાં મફત અનાજ નહીં મળે, કરવુ પડશે આ કામ
Ration Card KYC : સુરેન્દ્રનગર જિલ્લામાં વહિવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કેવાયસી ન કરાવનારા રાશનકાર્ડ ધારકોને અનાજ નહીં મળે.
આ નિર્ણયથી KYC ન કરાવેલા ગ્રાહકો સસ્તા અનાજથી વંચિત રહેશે. આવા ગ્રાહકોને વહેલી તકે કેવાયસી કરાવવા જણાવાયુ છે.

KYC પ્રક્રિયા પુરી ન થવાના કારણે સુરેન્દ્રનગર વહિવટી તંત્રે નિર્ણય કર્યો છે કે સસ્તા અનાજની દુકાનોમાંથી કેવાયસી વગર અનાજ આપવામાં આવશે નહીં. સસ્તા અનાજના દુકાનદારોને પણ આ અંગે સૂચના આપવામાં આવી છે.
જિલ્લાની તમામ રાશનકાર્ડ ધારકોએ કેવાયસી કરાવવું જરૂરી છે અને તંત્ર દ્વારા તમામને કચેરીઓમાં જઇને કેવાયસી પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે.
E-KYC મોબાઈલથી કેવી રીતે કરશો?
- ફૂડ એન્ડ લોજિસ્ટિક ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
- Ration Card KYC Online ઓપ્શન શોધો અને ક્લિક કરો.
- ફોર્મ ઓપન થતાં પરિવારના બધા સદસ્યોના નામ અને રેશન કાર્ડ નંબર દાખલ કરો.
- Capture Code ભરો અને આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર પર આવેલ OTP દાખલ કરો.
- વેરિફિકેશન પ્રોસેસ શરૂ થશે અને E-KYC પૂર્ણ કરવા માટે બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું પડશે.
- બાયોમેટ્રિક વેરિફિકેશન પૂર્ણ થયા પછી પ્રોસેસ બટન ક્લિક કરો.
E-KYC માટે જરૂરી દસ્તાવેજો
- રાશનકાર્ડ (Ration Card)
- આધાર કાર્ડ (Aadhar Card)
- રેશન કાર્ડ ધારક ભારતીય નાગરિક હોવો જોઈએ
આ પ્રક્રિયાને પૂર્ણ કર્યા બાદ રાશનકાર્ડ ધારક સસ્તા અનાજ મેળવવા માટે પાત્ર બનશે. તેથી તમારે તરત જ KYC પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
