For Quick Alerts
For Daily Alerts
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ગુરુવારે રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનોની રજૂઆતો સાંભળશે
ભૂપેન્દ્ર પટેલ ગુરવારથી જનતાના પ્રશ્નોને વાચા આપતા કાર્યક્રમ સ્વાગત ઓનલાઇન કાર્યક્રમની ફરી નવી સરકાર બન્યા બાદ શરુઆત કરશે. જેમા જનતાને સાંળીને તેમની સમસ્યાઓને સ્થળ પર નિકાલ કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યશાસનનું સેવા દાયિત્વ સતત બીજીવાર સંભાળ્યા બાદ આગામી ગુરુવારે, ૨૨મી ડિસેમ્બર ૨૦૨૨ના રાજ્ય 'સ્વાગત'માં પ્રજાજનો-નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળશે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોના પ્રશ્નો-રજૂઆતોના ટેકનોલોજીના માધ્યમથી નિવારણ માટે શરૂ કરેલા 'સ્વાગત' - સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ થ્રૂ એપ્લિકેશન ઓફ ટેકનોલોજીની પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સફળતાપૂર્વક આગળ ધપાવી છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રી ગુરુવારે તા. ૨૨મી ડિસેમ્બરે બપોરે ૩ કલાકે મુખ્યમંત્રીના જનસંપર્ક કક્ષ,સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે યોજાનારા રાજ્ય 'સ્વાગત' કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નાગરિકો-પ્રજાજનોની રજૂઆતો સાંભળશે.
Comments
English summary
'Swaagat' program will be held on Thursday 22nd December in Gandhinagar
Story first published: Tuesday, December 20, 2022, 20:42 [IST]