For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વાઇન ફ્લૂ: જામનગરમાં વધુ એક મોત, રાજ્યમાં મૃત્યુઆંક 116

|
Google Oneindia Gujarati News

swine flue
અમદાવાદ, 16 માર્ચ: સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂનો કેર વધુને વધુ વકરતો જઇ રહ્યો છે. જેના પગલે આજે જામનગરમાં વધુ એકનું મોત નિપજ્યું છે, જ્યારે વધુ બે દર્દીઓ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ મળી આવ્યા છે.

દિવસેને દિવસેને ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂનો કાળો કેર વર્તાઇ રહ્યો છે. જેના પગલે લોકો ટપોટપ મોત નિપજી રહ્યા છે. જોકે તંત્ર તેની સામે શું પગલા લઇ રહ્યું છે તે એક પ્રશ્ન છે.

જામનગરમાં કૂલ બે દર્દીઓ પોઝિટિવ મળ્યા છે, જ્યારે 18 શંકાસ્પદ દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધી જામનગરમાં સ્વાઇનફ્લૂના કારણે મરનારાઓની સંખ્યા 13 સુધી પહોંચી ગઇ છે. જ્યારે સમગર્ય રાજ્યમાં આ મૃત્યુઆંક 116 થઇ ગયો છે.

English summary
swine flu: one more die in jamnagar, death toll at 116 in state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X