For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો વધતો કહેર, વધુ 4ના મોત

|
Google Oneindia Gujarati News

swine flu
રાજકોટ, 6 માર્ચ: ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. જેના પગલે આજે રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કારણે એક જ દિવસમાં 4 લોકોના મોત થવાથી ચકચાર મચી જવા પામી છે. ઉપરાંત સુરેન્દ્રનગરમાં પણ સ્વાઇન ફ્લૂના કારણે એક મૃત્યુ નોંધાયું છે.

રાજકોટમાં પિતાનું સ્વાઇન ફ્લૂના કારણે મોત નિપજ્યૂ હતું જ્યારે તેની પુત્રી પણ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા તેને સારવાર માટે અમદાવાદની વી.એસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. રાજકોટમાં છેલ્લા પંદર દિવસમાં સ્વાઇન ફ્લૂના કારણે 18 લોકોના મોત નીપજ્યા છે. ઉપરાંત 22 દર્દીઓ સારવાર હેઠળ છે જેમાં 19 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ, વડોદરા અને અમરેલીમાં સ્વાઇન ફ્લૂના કારણે એક જ દિવસમાં 4 લોકોના મોત થયા છે. જોકે એક રાજકોટના પુરુષનું સ્વાઇન ફ્લૂના કારણે મોત થયું હતું તેની પુત્રીને પણ રિપોર્ટમાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઇ ગયું છે અને તેને અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડાઇ છે.

અત્રે નોંધનીય છે કે સ્વાઇન ફ્લૂના કારણે રાજકોટમાં મૃત્યુંઆંક 28 સુધી પહોંચી ગયો છે. જ્યારે ગુજરાત રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કારણે મરનારા લોકોની સંખ્યા 80 સુધી પહોંચી ગઇ છે.

English summary
swine flue: four dead in gujarat, one more in Rajkot, total 28 dead.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X