ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો વધતો કહેર, વધુ 4ના મોત
રાજકોટમાં પિતાનું સ્વાઇન ફ્લૂના કારણે મોત નિપજ્યૂ હતું જ્યારે તેની પુત્રી પણ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા તેને સારવાર માટે અમદાવાદની વી.એસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. રાજકોટમાં છેલ્લા પંદર દિવસમાં સ્વાઇન ફ્લૂના કારણે 18 લોકોના મોત નીપજ્યા છે. ઉપરાંત 22 દર્દીઓ સારવાર હેઠળ છે જેમાં 19 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ, વડોદરા અને અમરેલીમાં સ્વાઇન ફ્લૂના કારણે એક જ દિવસમાં 4 લોકોના મોત થયા છે. જોકે એક રાજકોટના પુરુષનું સ્વાઇન ફ્લૂના કારણે મોત થયું હતું તેની પુત્રીને પણ રિપોર્ટમાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઇ ગયું છે અને તેને અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડાઇ છે.
અત્રે નોંધનીય છે કે સ્વાઇન ફ્લૂના કારણે રાજકોટમાં મૃત્યુંઆંક 28 સુધી પહોંચી ગયો છે. જ્યારે ગુજરાત રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કારણે મરનારા લોકોની સંખ્યા 80 સુધી પહોંચી ગઇ છે.