વલસાડમાં દરિયાઇ માર્ગે 15 આતંકવાદીઓની ઘૂસણખોરી : IB

આઇબીએ આપેલી માહિતી પ્રમાણે વલસાડના દરિયાઈ માર્ગે 13થી 15 જેટલા આતંકવાદીઓ રાજ્યમાં ઘૂસ્યા છે. આઇબીની ચેતવણીને પગલે વલસાડના પોલીસ સુપ્રિટેન્ડેન્ટે તાબડતોડ બેઠક બોલાવી છે અને પોલીસકર્મીઓને સતર્ક રહેવાની સૂચના આપી છે.
માહિતીને પગલે દક્ષિણ ગુજરાતમાં પોલીસે સુરક્ષા બંદોબસ્ત વધારી દીધો છે. આતંકવાદી હાફિઝ શઈદ દ્વારા ભારતના કેટલાક શહેરો પર આતંકવાદી હુમલો થવાની આશંકાને પગલે નવી દિલ્હી, મથુરા સહિતના શહેરો અગાઉથી એલર્ટ પર છે, ત્યારે રાજ્યમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની માહિતીને પગલે રાજ્ય પોલીસ સતર્ક થઈ ગઈ છે.












Click it and Unblock the Notifications
