લાઠીચાર્જ પછી સુરત, અમદાવાદમાં કાપડ બજાર બંધ
સોમવારે સુરતમાં કાપડ વેપારીઓ પર કરેલ લાઠીચાર્જના વિરોધમાં અમદાવાદ, સુરતમાં કાપડ બજાર બંધ
દેશભરમાં 1 જુલાઈથી જીએસટીનો અમલ થઇ ચુક્યો છે અને આ સાથે જ કેટલાક વેપારીઓ જીએસટીના વિરોધમાં હડતાલ ઉપર ઉતરી ગયા છે. વેપારીઓના ટેક્સ સ્લેબમાં વધારો થતાં વેપારી એસોશિયેશન સરકારથી નારાજ છે અને આ કારણે હડતાલ પાડવામાં આવી છે. ગુજરાતના સુરત, અમદાવાદ જેવા શહેરો પણ આ હડતાલમાંથી બાકાત નથી.

સુરતને ટેક્સટાઇલ માર્કેટનું હબ ગણવામાં આવે છે. સોમવારે સુરતના કાપડના વેપારીઓ કાપડને જીએસટી મુક્ત કરવાની માંગણી સાથે હડતાલ પર ઉતર્યા હતા. વિરોધ કરવા નીકળેલા વેપારીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેના વિરોધમાં અમદાવાદ અને સુરતના કાપડ વેપારીઓ દ્વારા મંગળવારે બંધ પાળવામાં આવ્યો છે. સરકાર અને પોલીસના વિરોધમાં વેપારીઓ રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને આજે પણ વિરોધ નોંધાવ્યો હતો.
મળતી માહિતી મુજબ, સાંસદ સી.આર.પાટીલની આગેવાનીમાં રવિવારે સાંજે યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં વેપાર પ્રગતિ સંઘ, એસજીટીટીએ અને એસજીટીપીએ તથા મોટી સંખ્યામાં ભેગા થયેલા કાપડના વેપારીઓએ હડતાલ ન પાડી સથાવત રીતે દુકાનો કાર્યરત કરવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ સોમવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે દુકાનો ખુલતાં વેપારીઓના એક જૂથે ટેક્સટાઇલ માર્કેટની પોલીસ ચોકીનો ઘેરાવો કરી પથ્થરમારો કર્યો હતો. વેપારીઓના પથ્થરમારામાં એક પોલીસ કર્મીને ઇજા પહોંચતા પોલીસે વેપારીઓ ઉપર લાઠીચાર્જ કર્યો હતો અને વિરોધ કરતા વેપારીઓના ટોળાના દુર કર્યા હતા. આ મામલે કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ







Click it and Unblock the Notifications
