તુલસી કેસઃ આરોપીઓને CBI કોર્ટમાં રજૂ કરાયા

મળેલી માહિતી અનુસાર સૌરાબુદ્દિન શેખના નજીકના સાથી તુલસી પ્રજાપતિનું ફેક એન્કાઉન્ટર કરવાના આરોપ સબબ પકડવામાં આવેલા પોલીસ અધિકારીઓ વણઝારા, પાંડિયન, પંડ્યા અને રહેમાનને મુંબઇથી અમદાવાદ લાવવામાં આવ્યા છે અને સુનાવણી અર્થે સીબીઆઇ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે. મુંબઇથી અમદાવાદ લાવતીવેળા તેમને સઘન પોલીસ બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો હતો.
અત્રે એ વાત નોંધનીય છે કે ડીકે વણઝારા પહેલીવાર તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટ કેસમાં કોર્ટ સમક્ષ રજૂ થઇ રહ્યાં છે. તુલસી કેસમાં સીબીઆઇએ કરેલી ચાર્જશીટને સીબીઆઇ કોર્ટ દ્વારા સ્વીકારી લેવામાં આવી હતી. જેમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
