Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સૌરાષ્ટ્રની બે ટ્રેન ડાયવર્ટ/વિસ્તૃત કરાઇ, જાણો નવું ટાઇમટેબલ

ગાંધીનગર: ભારતીય રેલવે મંત્રાલય દ્વારા ગયા અઠવાડિયે સૌરાષ્ટ્ર તરફ જતી ત્રણ ટ્રેનોના ડાયવર્ઝન અને વિસ્તરણની જાહેરાત કરવામાં આવી હતી.

આ ટ્રેનોમાં ટ્રેન નંબર 09568/65 ભાવનગર-જેતલસર પેસેન્જર છે, જેને પોરબંદર સુધી લંબાવવામાં આવી છે; ટ્રેન નંબર 09566/67 ભાવનગર-જેતલસર પેસેન્જર, જે હવે વેરાવળ સુધી લંબાવવામાં આવી છે; અને ટ્રેન નંબર 19207/08 પોરબંદર-વેરાવળ એક્સપ્રેસ, જે જેતલસર થઈને રાજકોટ તરફ વાળવામાં આવી છે.

train

આ ટ્રેનોનું નવું ટાઇમટેબલ

ટ્રેન નં. 19207/08 પોરબંદર-વેરાવળ એક્સપ્રેસ, જે હવે જેતલસર થઈને રાજકોટ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે, તે પોરબંદરથી સવારે 5:45 કલાકે ઉપડશે, તે સવારે 8:20 કલાકે જેતલસર પહોંચશે, જ્યાં આ ટ્રેન 18 મિનિટ રોકાશે અને સવારે 8:38 કલાકે ઉપડશે: અંતે 10:25 કલાકે રાજકોટ પહોંચશે.

પરત ફરતી વખતે, ટ્રેન 19208 રાજકોટથી સાંજે 4:10 કલાકે ઉપડશે, સાંજે 5:50 કલાકે જેતલસર પહોંચશે, જેતલસરથી સાંજે 6:00 કલાકે ઉપડશે અને તેના અંતિમ મુકામ પોરબંદર રાત્રે 9:50 કલાકે પહોંચશે.

ટ્રેનના કોમર્શિયલ સ્ટોપેજમાં રાણાવાવ, તરસાઈ, વાંસજાળીયા, બાલવા, જામ જોધપુર, પાનેલી મોતી, ભાયાવદર, ઉપલેટા, સુપેડી, ધોરાજી, જેતલસર, નવાગઢ, વિરપુર, ગોંડલ અને ભક્તિનગરનો સમાવેશ થાય છે.

ટ્રેન નં. 09568 ભાવનગર-જેતલસર પેસેન્જર, જે પોરબંદર સુધી લંબાવવામાં આવી છે, તે ભાવનગરથી બપોરે 3:10 કલાકે ઉપડશે, જેતલસર સાંજે 7:15 કલાકે પહોંચશે અને 5 મિનિટના હોલ્ટ બાદ પોરબંદર માટે 7:10 કલાકે રવાના થશે. જે પોરબંદર રાત્રે 10.20 કલાકે પહોંચશે.

પરત ફરતી વખતે, ટ્રેન 09565 પોરબંદરથી સવારે 7:30 કલાકે ઉપડશે, સવારે 10:10 કલાકે જેતલસર પહોંચશે, જેતલસરથી સવારે 10:20 કલાકે ઉપડશે અને બપોરે 2:20 કલાકે તેના અંતિમ મુકામ, ભાવનગર પહોંચશે.

આ વિસ્તૃત રૂટ પર ટ્રેનના સ્ટોપેજમાં વાંસજાળીયા, જામ જોધપુર, પાનેલી મોતી, ભાયાવદર, ઉપલેટા અને ધોરાજીનો સમાવેશ થાય છે.

ટ્રેન નંબર 09566 ભાવનગર-જેતલસર પેસેન્જર, જેને હવે વેરાવળ સુધી લંબાવવામાં આવી છે, તે ભાવનગરથી સવારે 4:40 કલાકે ઉપડશે, જેતલસર સવારે 8:30 કલાકે આવશે અને 10 મિનિટના હોલ્ટ બાદ વેરાવળ માટે 9 કલાકે રવાના થશે. જે બાદ સવારે 11:30 કલાકે વેરાવળ પહોંચશે.

પરત ફરતી વખતે ટ્રેન નં. 09567 વેરાવળથી બપોરે 2:40 કલાકે ઉપડશે અને સાંજે 5:05 કલાકે જેતલસર પહોંચશે. ટ્રેન જેતલસરથી સાંજે 5:30 કલાકે ઉપડશે. રાત્રે 9:50 વાગ્યે ભાવનગર પહોંચવાનું છે.

આ વિસ્તૃત ભાગ પરના કોમર્શિયલ સ્ટોપેજમાં જૂનાગઢ, કેશોદ, માળીયા હાટીના અને ચોરવડ રોડનો સમાવેશ થાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X