જાન્યુઆરીમાં થશે જામનગર-અમદાવાદ હવાઈ સેવાનો પ્રારંભ
જામનગર અને અમદાવાદમાં વસતા લોકો માટે સરકાર લાવી છે એક સારા સમાચાર. જાન્યુઆરીથી ઉડ્ડાન પ્રોજેક્ટ હેઠળ તમે કરી શકો છો જામનગરથી અમદાવાદ વચ્ચે હવાઇ મુસાફરી
એક તરફ ગુજરાતમાં જ્યાં નવી સરકાર રચવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે એક અહેવાલ સામે આવ્યા છે કે જાન્યુઆરી મહિનાથી જામનગર અને અમદાવાદ વચ્ચે વિમાની સેવાનો પ્રારંભ થશે. પહેલા આ સેવા નવેમ્બર ડિસેમ્બરમાં શરૂ થવાના અહેવાલ હતા. જોકે ચૂંટણીને પગલે આ બાબતે કોઈ કામ આગળ વધ્યું નહોતું. પ્રાથમિક અહેવાલ મુજબ નવી સરકાર રચાઈ ગયા બાદ અને કમુર્હતા બાદ ઉત્તરાયણ પછી 15 જાન્યુઆરીના રોજ અમદાવાદ-જામનગર વિમાની સેવાનો પ્રારંભ કરવામાં આવશે. અને તે દિવસે જામનગરથી અમદાવાદની પ્રથમ વિમાની સેવા ઉડાન ભરશે. અને તે માટે એર ઓડિશા એરલાઇન્સ પોતાની વિમાની સેવા આપશે. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા "ઉડ્ડાન" પ્રોજેક્ટ હેઠળ નાના શહેરોને મોટા શહેરો સાથે સાંકળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે એરલાઇન્સ દ્વારા જામનગર એરપોર્ટ પર સર્વે અને અભ્યાસ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકાર દ્વારા પ્રોજેક્ટ ઉડ્ડાન હેઠળ આ રીતે સમગ્ર ગુજરાતના નાના શહેરોને મોટા શહેરો સાથે જોડવામાં આવે તેવી ચર્ચા પણ છે.આ વિમાની સેવા શરૂ થવાનો લાભ નાના મધ્યમ અને મોટા વેપારીઓને મળી શકે છે. કારણ કે જામનગર બાંધણી ઉદ્યોગના ઘણા વેપારીઓ અમદાવાદના ફેશન બુટિક સાથે જોડાયેલા છે. તેઓ સહેલાઇથી પોતાના માલનું પરિવહન કરી શકશે, તેમજ સમય પણ બચતો હોવાથી હાલ તો જામનગરના વેપારીઓ આ બાબતે ઉત્સાહિત અને અને ઇચ્છે છે કે આ વિમાની સેવા ઝડપથી શરૂ થાય.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
