હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત પાલનપુર ખાદી ગ્રામોધોગ ખાતે તિરંગાનું વેચાણ થશે!
“હર ઘર તિરંગા” કાર્યક્રમનું રાષ્ટ્રવ્યાપી ઊજવણી કરવામાં આવનાર છે.
“હર ઘર તિરંગા” કાર્યક્રમનું રાષ્ટ્રવ્યાપી ઊજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમની શાનદાર ઉજવણી માટે તમામ કચેરીઓને રાષ્ટ્રધ્વજ સહેલાઇથી ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર કુટીર અને ગ્રામોધોગ વિભાગના હસ્તકના ગુજરાત રાજય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમના ૧૪ એમ્પોરિયા ખાતે તા.૧૫ જુલાઇ થી તા.૧૫ ઓગષ્ટ-૨૦૨૨ દરમ્યાન રાષ્ટ્રધ્વજ વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે જય હિંદ ખાદી ગ્રામોધોગ સંઘ અને નવજીવન ખાદી ગ્રામોધોગ સેવા સંઘ ખાતે રાષ્ટ્રાધ્વજ વેચાણથી મેળવી શકાશે. ગુજરાત રાજય ખાદી ગ્રામોધોગ બોર્ડ સાથે સંકળાયેલી ૧૪ એમ્પોરિયાની અને ૨૧ ખાદી સંસ્થાઓમાં રાષ્ટ્રધ્વજ વેચાણ માટે ઉપલબ્ધ છે. ખાદીના રાષ્ટ્રીય ધ્વજ “ખાદી અને ગ્રામોધોગ આયોગ પર વેચાણના હેતુસર ઉપલબ્ધ છે.
કેન્દ્ર સરકાર દ્વારા અમૃત મહોત્સવ આઝાદી કા મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે, આ કાર્યક્રમને લઇને દેશભરમાં સ્વાતંત્ર્ય દિવસ પહેલાં 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન લોકોને પોતાના ઘરોમાં, ઓફીસ પર, સરકારી કચેરીઓ ખાતે તેમજ ધંધાકીય સ્થળોએ રાષ્ટ્ર ધ્વઝ ફરકાવવા સૂચન કર્યુ છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ પ્રોફાઇલ ફોટોમાં રાષ્ટ્ર ધ્વઝ રાખવા અપીલ કરી છે. ત્યારે, મોટા પ્રમાણમાં રાષ્ટ્રધ્વઝ ઉપલબ્ધ કરવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો દ્વારા ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્રોને રાષ્ટ્રધ્વઝ બનાવવા અને તેને વેચાણ કરવા જણાવ્યું છે.












Click it and Unblock the Notifications
