રાજકારણ જગતમાંથી આવ્યા માઠા સમાચાર, રાજ્યના આ ધારાસભ્યનું નિધન
ઉંઝાનાં MLA આશાબેન પટેલનું નિધન થયું છે. આશાબહેન પટેલની સારવાર અમદાવાદની ઝાયડસમાં તેમની સારવાર ચાલી રહી હતી. ઉલ્લેખીય છે કે, ડેન્ગ્યૂને કારણે તેમના મલ્ટી ઓર્ગન ફેઇલ થવાને કારણે તેમનું નિધન થયું છે.
ઉંઝાનાં MLA આશાબેન પટેલનું નિધન થયું છે. આશાબહેન પટેલની સારવાર અમદાવાદની ઝાયડસમાં તેમની સારવાર ચાલી રહી હતી. ઉલ્લેખીય છે કે, ડેન્ગ્યૂને કારણે તેમના મલ્ટી ઓર્ગન ફેઇલ થવાને કારણે તેમનું નિધન થયું છે. ઉંઝાના ભાજપના ધારાસભ્ય આશાબહેન પટેલની બે દિવસ પહેલા તબિયત લથડી હતી.
જે બાદ આશા બહેનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. ધારાસભ્ય આશાબહેન પટેલનું લીવર ડેમેજ થતા તેમની સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. તેમને આ અગાઉ ડેન્ગ્યુ થયો હતો, જે કારણે તેના લીવર પર અસર જોવા મળી હતી. આ હોસ્પિટલમાં સારવાર અર્થે ગયેલા આશા પટેલની ખરાબ તબીયતને કારણે વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી હતી.
ધારાસભ્ય આશાબહેન પટેલ કોણ છે?
2017માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બની ઊંઝા બેઠક પર વિધાનસભા ચૂટણી લડીને જીતેલા આશાબહેન પટેલે કોંગ્રેસ છોડીને 2019માં ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
કોંગ્રેસમાં કહેવાતી અવગણનાથી તેઓ નારાજ હતા. કોંગ્રેસમાં આંતર વિગ્રહ, જૂથવાદથી કંટાળીને તેમણે કોંગ્રેસને અલવિદા કહીને પાછળથી ભાજપમાં જોડાયા હતો.
ઊંઝાથી જ ડોક્ટર આશા પટેલને ભાજપે ટીકીટ આપી અને તેઓ ચૂંટાઈ આવ્યા હતા. જે બાદ APMC ઊંઝામાં પણ તેઓએ દબદબો બનાવવામાં સફળતા મેળવીહતી.
સમગ્ર ઉત્તર ગુજરાતમાં શોકનું મોજું ફરી વળ્યું
ઉત્તર ગુજરાતના પાટણની હેમચંદ્રાચાર્ય યૂનિવસિટીમાંથી આશાબહેને વિજ્ઞાનમાં અનુસ્નાતક અને કેમેસ્ટ્રીમાં Ph.d કર્યું છે. આ સાથે તેઓ ખેતીના વ્યવસાય સાથેજોડાયેલા હતા.
ઊંઝાના ધારાસભ્ય ડોક્ટર આશા પટેલના નિધનથી મત વિસ્તાર ઊંઝા જ નહીં પણ, સમગ્ર ઉત્તર ગુજરાતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
|
ભરત પંડયાએ આપી શ્રદ્ધાંજલિ
ભાજપનાં પ્રદેશ અગ્રણી ભરત પંડયાએ હ્દયપૂર્વક શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે,ઊંઝાનાં ધારાસભ્ય આશાબહેન પટેલનાં અચાનક અવસાનથી, ભાજપે અને લોકોએસેવા અને વિકાસ માટે જુજારુએવાં સક્ષમ મહિલા આગેવાન ગુમાવ્યાં છે.
ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેમજ તેમનાં પરિવારનેને આ આઘાત સહનકરવાની હિંમત આપે એવી પ્રાર્થના...