Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'મોદીના પ્રધાનમંત્રી બનવાનું સપનું તોડી નાખીશું'

gurudas kamat
વડોદરા, 19 જુલાઇ : કોંગ્રેસ મહાસચિવ ગુરુદાસ કામતે જણાવ્યું કે લોકો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર વિશ્વાસ નથી કરતા અને તેમના પ્રધાનમંત્રી પદના સપના લોકસભા ચૂંટણી પહેલા તોડી નાખશે.

કામતે જણાવ્યું કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સાબિત કરી દીધું છે કે મોદીનો જાદુ 2014ના લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં કોઇ પણ પ્રકારે મદદ નહીં કરે. કામત અત્રે કોંગ્રેસના નેતાઓ, હોદ્દેદારો અને મધ્ય ગુજરાતના અન્ય નેતાઓને મળવા અત્રે આવ્યા છે.

કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે મોદીને ભાજપાની ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવાના કારણે કોંગ્રેસને વધારે લોકસભાની બેઠકો જીતવામાં મદદ મળશે. તેમણે જણાવ્યું કે 'ભાજપા મોદીનું નામ ઉછાળી રહી છે પરંતુ તેમનો જાદુ ગુજરાત સુધી પૂરતો છે. તેઓ દેશના અન્ય રાજ્યોમાં કોઇ જાદુ કરી શકવાના નથી. લોકો તેમના વાસ્તવિક ચહેરાને ઓળખી ગયા છે અને તેઓ તેમની પર વિશ્વાસ નથી કરતા. આ માત્ર એક રાજનૈતિક તિકડમ છે.'

આ ઉપરાંત કામતે મોદીના 'બુર્ખા' અને 'પપ્પી ના બચ્ચા' જેવા નિવેદનો પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે તેઓ પોતાને 'હિન્દુ રાષ્ટ્રવાદી' નેતા ગણાવે છે, જે માત્ર એક રાજનૈતિક નાટક છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X