મોદીનો આટલો જાદૂ હોવાછતાં તેમના પાંચ મંત્રી કેમ હાર્યા?

narendra-modi-sad
અમદાવાદ, 21 ડિસેમ્બર: ગુજરાતમાં નરેન્દ્ર મોદીની આંધી ચાલી અને તે ભાજપમાં સૌથી કદાવર નેતા તરીકે સાબિત થયા. જો કે નરેન્દ્ર મોદી ફરી એકવાર સત્તા પર આરૂઢ થશે પરંતુ તેમના 4 મંત્રીઓ ચુંટણી હાર્યા તે તેમના માટે એક ઝટકા સમાન છે. રાજકિય જાણકારો એમ પણ કહી રહ્યાં છે કે 75 ટકા જુના ધારાસભ્યોને ટિકીટ આપવી તે હિંમતનું કામ છે. મંત્રીઓની હારને જાણકારો સત્તા વિરોધી લહેર સાથે જોડીને જોઇ રહ્યાં છે. નરેન્દ્ર મોદી આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસ જેટલી હજુ પકડ જમાવી શક્યાં નથી. નરેન્દ્ર મોદી પોતાની મહત્વાકાંક્ષાઓને ઉડાન આપવાના સંકેત આપી રહ્યાં છે. તેમને ટ્વિટર પર લખ્યું છે કે પાછળ જોવાની જરૂર નથી આગળ વધવાનું છે.

જો કે ગુજરાતમાં ભાજપની મતદાનની ટકાવારીમાં વધારો થયો છે પરંતુ સીટો આશા અને અનુમાનો અનુસાર મળી શકી નથી, આ ચુંટણીમાં કોંગ્રેસ ફાયદામાં રહી છે. તેની સીટોમાં વધારો થયો છે પરંતુ મતદાનની ટકાવારી લગભગ ગત ચુંટણી જેટલી જ છે. ગુજરાતની ચુંટણીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હેટ્રીકથી રાષ્ટ્રીય રાજકારણમાં નવા સમીકરણો બની શકે છે.

લાંબા સમયથી તેમને વડાપ્રધાન પદના દાવેદાર બનાવવાની માંગને ફરી એકવાર જોર પકડી શકે છે. સંભાવનાઓ એ પણ છે કે ભાજપ તેમને વડાપ્રધાન પદના દાવેદાર ભલે ના બનાવે પણ શક્ય છે કે તેમના નેતૃત્વમાં આગામી લોકસભાની ચુંટણી લડી શકે. જો કે નરેન્દ્ર મોદીના સમર્થનમાં એક વાત સૌથી મહત્વપુર્ણ છે કે કેશુભાઇ પટેલ બાગી હોવાછતાં તે સત્તા પર કબજો ધરાવે છે. આ સાથે જ પરોક્ષ રીતે સંધ પરિવારનો સાથ તેમને મળી રહ્યો નથી. આ ચુંટણીના પરિણામો બાદ ભજપના પૂવ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું રાજકીય ભવિષ્ય દાવ પર લાગી ગયું છે. તેમને જે આશા સાથે જીપીપી રચના કરી હતી તેના કરતાં વિરોધાભાષી પરિણામો આવ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X