બ્રાહ્મણ ઉમેદવારોને ટીકિટ નહીં આપનાર પાર્ટીને હરાવીશું : બ્રહ્મસમાજ

બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ને ધ્યાનમાં રાખીને આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં ૫૦ બેઠકો પર બ્રહ્મસમાજ પ્રભાવશાળી ફેક્ટર છે. ગુજરાતમાં ૧૮૨ પૈકી ૧૩૨ બેઠકો પર બ્રાહ્મણ મતદારો અસરકારક પરિબળ છે. જ્યારે ૫૦ બેઠકો એવી છે જેમાં ૨૦ હજારથી વધુ બ્રાહ્મણ મતદારો છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક મણીનગરમાં ૫૯૫૦૦ બ્રાહ્મણ મતો છે.
ગુજરાતમાં બ્રાહ્મણસમાજ અસંગઠિત હોવાના કારણે રાજકીય પક્ષો બ્રાહ્મણ મતને નજરઅંદાજ કરી પક્ષમાં સ્થાન કે ટિકિટ ફાળવણીમાં ધ્યાને લેતા નથી. બદલાયેલા સંજોગોમાં હવે બ્રહ્મસમાજ એક થઈને રાજકીય અવગણના સામે લાલ આંખ કરશે.












Click it and Unblock the Notifications
