વિપલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાવાની અટકળો તેજ, વિસનગરથી લડશે ચૂંટણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ ગુજરાતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. રાજકીય પક્ષોમાં આયારામ ગયારામની સ્થિતિ ઉભી થઇ છે. નારાજ કાર્યાકર્તા અને નેતાઓ પક્ષો બદલી રહ્યા છે. તેમ આજે સૌથી મોટી જાહેરાત થવા જઇ રહી છે. પૂ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ ગુજરાતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. રાજકીય પક્ષોમાં આયારામ ગયારામની સ્થિતિ ઉભી થઇ છે. નારાજ કાર્યાકર્તા અને નેતાઓ પક્ષો બદલી રહ્યા છે. તેમ આજે સૌથી મોટી જાહેરાત થવા જઇ રહી છે. પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી આજે આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલી હાજરીમા જોડાશે વિપુલ ચૌધરીના સમર્થનમાં અબુર્દા સૈના દ્વારા કરવામા આવી રહ્યુ છે. જેને લઇને આજે માણસામાં મહાસંમેલનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમા વિપુલ ચૌધરીના પત્રનું વાંચન કરવામાં આવશે. વિપુલ ચૌધરરી મંત્રી ઋષિકેશ પટેલ સામે વિસનગરથી પોતાની ઉમેદવારી નોધાવી શકે છે.
વિપુલ ચૌધરી સામે દુંઘ સંઘમાં 800 કરોડના કૌભાડના આરોપમાં વિપલ ચૌધરીની અમદાવાદ એલસીપી દ્વારા ઘરપકડ કરીને કડક પુછપરછ કરવામાં આવી રહી છે. જેમની સામે બોગસ કંપની બનાવીને પોતાના પત્ની, પુત્ર અને સીએ ના ઇકાઉન્ટ્સમાં પૈસા ટ્રાન્ફર કર્યા હોવાનો આરોપ છે આ સિવાય
વિપુલ ચૌધરી ઉત્તર ગુજરાતની 20 સીટો પર પ્રભૂત્વ ધરાવે છે જેમા ચૌધરી સમાજનું પ્રભૂત્વ છે. વિપુલ ચૌધરીની ગૈર હાજરમાં અભુર્દા સૈના દ્વારા વિપુલ ચૌધરીની ધરપકડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિપુલ ચૌધરીનો આપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવી જશે.
વિપુલ ચૌધરીના આમ આદમી પાર્ટીમાં જોડાવીથી આપની રાષ્ટ્રીય રાજનીતિમાં તેની શાખ દાવ પર લાગી શકે છે કેમ, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર વિરોધ કરીને સત્તામાં આવી છે. જો વિપુલ ચૌધરીને પોતાના પાર્ટીમાં સ્થાન આપશે તો તે ભ્રષ્ટાચારીનો સાથ આપતો હોવાનો સંદેશો રાષ્ટ્રીય કક્ષાએ જઇ શકે છે.