ગુજરાત રમખાણ કેસમાં મોદીને મોટી રાહત, અમદાવાદ કોર્ટે પણ આપી ક્લીનચિટ
અમદાવાદ, 26 ડિસેમ્બર: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની 2002ના ગુજરાત રમખાણમાં ભૂમિકાની તપાસ મામલે અમદાવાદની મેટ્રોલિટિન કોર્ટે આજે મોટી રાહત આપી દીધી છે. અમદાવાદની કોર્ટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર બનેલી એસઆઇટીની ક્લોઝર રિપોર્ટ પર પોતાનો નિર્ણય સંભળાવ્યો અને આ રિપોર્ટને માન્ય ગણ્યો છે. એસઆઇટીએ મોદીને ક્લીન ચિટ આપી હતી. પરંતુ રમખાણમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન ઝાફરીની પત્ની જાકિયા ઝાફરીએ ક્લોઝર રિપોર્ટને પડકાર્યો હતો. આ મામલામાં 2 ડિસેમ્બરના રોજ સુનાવણી થયા બાદ કોર્ટે પોતાનો ફેસલો 26મી સુધી સુરક્ષિત રાખી લીધો હતો.
ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે આજે એ વાતનો નિર્ણય આપી દીધો છે કે 2002ના ગુજરાત રમખાણોમાં તેમની ભૂમિકાને લઇને મોદીની વિરુધ્ધ ગૂનાહિત કેસ નહી ચાલે. એસઆઇટીએ પોતાની ક્લોઝર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોદી અને અન્યોની વિરુધ્ધ તેમને કોઇ પુરાવા મળ્યા નથી. જોકે ઝાકિયા જાફરીએ આ ક્લોઝર રિપોર્ટને મેટ્રોપોલિટીન કોર્ટમાં પડકારી છે અને તેનો નિર્ણય આજે આવવાનો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના રમખાણોમાં નરેન્દ્ર મોદી અને અન્યની ભૂમિકા પર તપાસ માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર રચવામાં આવેલી એસઆઇટીએ પોતાની ક્લોઝર રિપોર્ટમાં મોદીને ક્લીન ચિટ આપી દીધી હતી. રમખાણોમાં માર્યા ગયેલા પૂર્વ કોંગ્રેસી સાંસદ એહસાન ઝાફરીની પત્ની ઝાકિયાએ તેને પડકારી છે. આ પહેલા 28 ઓક્ટોબરના રોજ કોર્ટે પોતાનો નિર્ણય 2 ડિસેમ્બર સુધી મોકૂફ રાખ્યો હતો, અને 2 ડિસેમ્બરના રોજ સુનાવણી થયા બાદ કોર્ટે પોતાનો ફેસલો 26મી સુધી સુરક્ષિત રાખી લીધો હતો.

જાફરીની ફરિયાદ પર તપાસ પૂરી કર્યા બાદ એસઆઇટીએ 8 ફેબ્રુઆરી 2012ના રોજ તપાસ રિપોર્ટ દાખલ કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે આઠ વર્ષ વીતી જવાના કારણે પુરાવાઓ એકત્રીત કરવામાં મુશ્કેલી પડવા છતાં જે પણ સાક્ષીઓ અને પુરાવાઓ મળ્યા તેનાથી એવું સાબિત નથી થઇ શક્યું કે 2002ના રમખાણોના ષડયંત્રમાં જે લોકો પર આરોપ લગાવવામાં આવ્યા હતા તેઓનો તેમાં કોઇ હાથ હતો.












Click it and Unblock the Notifications
