સિયાલદાહ-અજમેર એક્સપ્રેસના 15 ડબ્બા ખડી પડ્યા, 2 ના મોત
ઉત્તરપ્રદેશના કાનપુરમાં બુધવારે સવારે સિયાલદાહ-અજમેર એક્સપ્રેસના 15 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા જેમાં 48 લોકો ઘાયલ થયા છે...
યુપીના કાનપુરથી એક મોટા સમાચાર આવી રહ્યા છે જ્યાં આજે સવારે સિયાલદાહ-અજમેર-એક્સપ્રેસના 15 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા જેમાં 2 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 48 લોકો ઘાયલ થયા છે.

ઘાયલોની સંખ્યા વધવાની આશંકા
મળી રહેલી જાણકારી મુજબ આ દુર્ઘટના કાનપુર ગ્રામ્યના રુરા સ્ટેશન પર બની છે. કહેવામાં આવી રહ્યુ છે કે ટ્રેનના 13 કોચ પાટા પરથી ખડી પડ્યા જ્યારે 2 કોચ એક નહેરમાં પડી ગયા. પ્રારંભિક જાણકારી મુજબ આ દુર્ઘટનામાં 48 લોકો ઘાયલ બતાવવામાં આવી રહ્યા છે પરંતુ ઘાયલોની સંખ્યા હજુ વધવાની આશંકા છે.

રાહત અને બચાવ કાર્ય
રેસ્ક્યૂ ટીમો દુર્ઘટના સ્થળ પર પહોંચી ગઇ છે. ઘાયલોમાં ટ્રેનના ગાર્ડ પણ સામેલ છે. દુર્ઘટનાને કારણે દિલ્હી-હાવડા રુટ બંધ થઇ ગયો છે. કાનપુર એસપીએ જણાવ્યુ કે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ડિવિઝન અધિકારીએ જણાવ્યુ કે સીનિયર ઓફિસર્સ દુર્ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. રેલવેના જણાવ્યા અનુસાર કુલ 15 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા જેમાં 13 સ્લીપર ક્લાસના છે. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યુ કે, 'દુર્ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. હું રેસ્ક્યૂ અને રાહત કાર્ય પર નજર રાખી રહ્યો છુ.'

રેલવેએ જારી કર્યા હેલ્પલાઇન નંબર
કાનપુર રેલ દુર્ઘટનાને કારને રેલવેએ ઘણા હેલ્પલાઇન નંબર જારી કર્યા છે.
કાનપુર - 0512-2323015, 2323016, 2323018
ઇલાહાબાદ - 05322408149, 2408128, 2407353
ટૂંડલા - 05612-220338, 220339
અલીગઢ - 0571-2404056,2404055
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ









Click it and Unblock the Notifications
