14 july Covid Update : દેશમાં 20,139 કેસ અને 38 મોત નોંધાયા, જાણો આજની કોરોના અપડેટ
ગુજરાતમાં બુધવારના રોજ કોરોના સંક્રમણના 742 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 673 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
14 july Covid Update : ગુજરાતમાં બુધવારના રોજ કોરોના સંક્રમણના 742 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 673 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

વલસાડમાં 22 કેસ નોંધાયા
આ સાથે જો જિલ્લામાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 260 કેસ, સુરતમાં 107 કેસ, ભાવનગરમાં 53વડોદરામાં 45 કેસ, મહેસાણામાં 63 કેસ, ગાંધીનગરમાં 47 કેસ, રાજકોટમાં 24 કેસ, વલસાડમાં 22 કેસ, કચ્છ અને પાટણમાં 19-19 કેસનોંધાયા છે.

જામનગરમાં 12 કેસ નોંધાયા
જામનગરમાં 12 કેસ, દેવભૂમિ દ્વારકા અને નવસારીમાં 9-9 કેસ, અમરેલી, બનાસકાંઠા અને સાબરકાંઠામાં 8-8 કેસ, આણંદ અને ભરૂચ 7-7કેસ નોંધાયા છે. આ સાથે ખેડા અને મોરબીમાં 4-4 કેસ નોંધાયા છે.

આ જિલ્લામાં નોંધાયો 1-1 કેસ
અરવલ્લીમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જૂનાગઢમાં 2 કેસ નોંધાયા છે. આ ઉપરાંત પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 1-1કેસ નોંધાયો હતો.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 4225 થઇ
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,950 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,24,576 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા4225 થઇ છે. જેમાંથી 3 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 11,19,90,820 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.78 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 30,541 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,19,90,820 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

14 july ની અમદાવાદ કોરોના અપડેટ
અમદાવાદના શહેરી વિસ્તારમાં 254 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 6 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોછે.
આ સાથે શહેરી વિસ્તારમાં 253 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 7 રિકવરી નોંધાઇ છે.
જો રસીકરણનીવાત કરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 1960 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 220 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધોછે.

14 july ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટના શહેરી વિસ્તારમાં 12 કેસ નોંધાયા હતા. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 13 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ સાથેશહેરી વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી, આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 5 રિકવરી નોંધાઇ છે.
જો રસીકરણની વાત કરવામાં આવે તો,રાજકોટ શહેરી વિસ્તારમાં 1790 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 1004 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

14 july ની ભારત કોરોના અપડેટ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરૂવારના રોજ જણાવ્યું હતું કે, ભારતમાં દૈનિક COVID-19 કેસ 145 દિવસના અંતરાલ પછી 20,000 થીવધુ નોંધાયા હતા, જ્યારે સક્રિય કેસ વધીને 1,36,076 થયા હતા.
24 કલાકના ગાળામાં કોરોના સંક્રમણના કુલ 20,139 નવા પોઝિટિવ કેસનોંધાયા છે, જેનાથી કુલ કેસોની સંખ્યા 4,36,89,989 થઈ ગઈ છે.
સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલ ડેટા જણાવે છે કે, 38 નવા મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 5,25,557 પર પહોંચી ગયો છે.
સક્રિય કેસોમાં કુલચેપના 0.31 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ 98.49 ટકા નોંધાયો હતો, મંત્રાલયે જણાવ્યું હતું.
24 કલાકના ગાળામાં સક્રિય કોવિડ19 કેસ લોડમાં 3,619 કેસનો વધારો નોંધવામાં આવ્યો છે.
ભારતમાં કોવિડ-19નો આંકડો 7 ઓગસ્ટ,2020ના રોજ 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ અને 16 સપ્ટેમ્બરે 50 લાખને પાર કરી ગયો હતો.
તે 28 સપ્ટેમ્બરે 60લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ અને 19 ડિસેમ્બરે એક કરોડના આંકડાને વટાવી ગયો હતો.

ગયા વર્ષે 23 જૂનના રોજ ત્રણ કરોડનો ગંભીર માઈલસ્ટોન પાર કર્યો
ભારતમાં કોવિડ-19નો આંકડો 7 ઓગસ્ટ, 2020ના રોજ 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ અને 16 સપ્ટેમ્બરે 50લાખને પાર કરી ગયો હતો.
દેશે 4 મેના રોજ બે કરોડ અને ગયા વર્ષે 23 જૂનના રોજ ત્રણ કરોડનો ગંભીર માઈલસ્ટોન પાર કર્યો હતો. આવર્ષે 25 જાન્યુઆરીએ તેણે ચાર કરોડનો આંકડો પાર કર્યો હતો.












Click it and Unblock the Notifications
