દેશમાં કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં 14933 નવા દર્દી નોંધાયા
દેશમાં કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં 14933 નવા દર્દી નોંધાયા
નવી દિલ્હીઃ કોરોના વાયરસની વેક્સીનને લઇ દુનિયાના અલગ અલગ દેશ રિસર્ચમાં લાગ્યા છે, પરંતુ હજી સુધી એકેયને સફળતા મથી નથી. આ દરમિયાન ભારતમાં પણ સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. મંગળવારે કોરોના વાયરસના 14933 નવા કેસ નોંધાયા, જે બાદ દેશમાં કોરોની સંક્રમિતોની સંખ્યા વધીને 440215 થઇ ગઇ છે. જ્યારે કોરોના વાયરસના કારણે પાછલા 24 કલાકમાં 312 દર્દીના મોત થયાં છે અને મૃતકોનો આંકડો વધીને 14011 થઇ ગયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 2 લાખ 48 હજાર 190 દર્દી ઠીક થઈ ચૂક્યા ચ અને હાલ એક્ટિવ કેસ 1 લાખ 78 હજાર 14 છે. જણાવી દઇએ કે કોરોના વાયરસના કારણે દેશની રાજધાની દિલ્હીમાં પણ હાલાત બગડી રહ્યા છે. સોમવારે દિલ્હીમાં કોરોના વાયરસના 2909 નવા કેસ સામે આવ્યા છે. જો કે રાહતની વાત એ છે કે દિલ્હીમાં દર્દીઓનો રિકવરી રેટ સતત વધી રહ્યો છે. સોમવારે દિલ્હીમાં કોરોનાના 3589 દર્દી ઠીક થઇ પોતાના ઘરે પાછા ફર્યા.
આ દરમિયાન હરિયાણાના ગુરુગ્રામથી પ્રશાસનની લાપરવાહીનો મોટો મામલો સામે આવ્યો છે. અહીં કોરોના વાયરસથી સંક્રમિત 17 લોકો લાપતા જણાવવામાં આવી રહ્યા છે. તમામ કોરોના દર્દી કાર બનાવનાર કંપની મારૂતિ સુઝુકીના કર્મચારી છે અને માનસર સ્થિત કંપનીના પ્લાન્ટમાં કામ કરતા હતા. આ લોકો ઝજ્જર અને ગુરુગ્રામના રહેવાસી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કંપનીએ પોતાના પરિસરમાં જ ક્વોરેન્ટાઇન સેન્ટર સ્થાપિત કર્યું છે, જ્યાં અહીં રહેતા લોકોની ગણતરી કરવામાં આવી તો માલૂમ પડ્યું કે 17 લોકો લાપતા છે.
અમેરિકામાં નોકરી કરતા ભારતીયોને ઝટકો, ટ્રમ્પે ડિસેમ્બર સુધી H-1B વિઝા કર્યા રદ