ચેન્નાઇ, 1 નવેંબરઃદક્ષિણ ભારતમાં 'નીલમ' તોફાનના ચક્રવાતમાં એક ઓઇલ જાહજ ખલાસીઓ સાથે ફસાયું હતું. જેમા 15 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે અન્ય છ ખલાસીઓ લાપતા છે અને તેમની શોધખોળ ચલાવવામાં આવી રહી હોવાનું ચેન્નાઇ પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું છે.
પીટીઆઇને આપેલી માહિતી અનુસાર નેવી અને કોસ્ટ ગાર્ડ દ્વારા ખોવાયેલા છ લોકોની શોધખોળ ચલાવાય રહી છે. દક્ષિણ ચેન્નાઇમાં એલ્લિઓટ બીચ પાસે 'પ્રતિભા કાવેરી' નામનું જહાજ 37 ક્રુ મેમ્બર સાથે હતું ત્યારે તે 'નીલમ' ચક્રવાતમાં ફસાયું હતું.
લાઇફ બોટ તેમને લઇ જઇ રહી હતી ત્યારે એક વ્યક્તિ પાણીમાં પડી ગયો હતો જ્યારે અન્ય 15ને નેવી અને સ્થાનિક માછીમારોની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા. આ જહાજ મુંબઇની પ્રતિભા શિપિંગ કંપનીનું છે. તમિલનાડુમાં નિલમે બે લોકોનો ભોગ લીધો હોવાના અહેવાલ છે.
Fifteen sailors were on Thursday, Nov 1 rescued and a search was on for six other missing crew who were on board an oil tanker that drifted and ran aground off the city coast in high velocity winds before the landfall of cyclone 'Nilam'.